મોરબીના પંચાસર શિવનગરમાં ગામમાં થતાં ડખાઓને લઇને લોકો મતદાનથી અળગા રહ્યા..!
SHARE
મોરબીના પંચાસર શિવનગરમાં ગામમાં થતાં ડખાઓને લઇને લોકો મતદાનથી અળગા રહ્યા..!
મોરબી તાલુકાના પંચાસર ગામે આવેલ શિવનગરમાં 891 જેટલા મતદારો છે જેમના દ્વારા આજે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કરવામાં આવ્યુ નથી અને જૂના ગામમાં ચાલતા વિવાદો શિવનગર નવા ગામમાં ન થાય તે માટે થઈને આ ચૂંટણીમાં તેઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું નથી તેવું હાલમાં જાણવા મળી રહ્યું છે.
મોરબી જિલ્લામાં 197 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે અને મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે જોકે વાત કરીએ મોરબી નજીકના પંચાસર ગામની તો પંચાસર ગામ અને તેની બાજુમાં આવેલ શિવનગરમાં કુલ મળીને મતદાન માટે ત્રણ બુથ બનાવવામાં આવેલ છે જે પૈકીના બે બુથ ઉપર પંચાસર ગામની પ્રાથમિક શાળામાં હાલમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે જોકે શિવનગર પ્રાથમિક શાળાની અંદર જે બુથ બનાવ્યું છે તેમાં 891 મતદારોનો સમાવેશ થાય છે પરંતુ આજે સવારના દસ વાગ્યા સુધી કોઇએ મતદાન કર્યું નહોતું અને આ ચૂંટણીની અંદર શિવનગર ગામમાંથી કોઈ મતદાર દ્વારા મતદાન નહીં કરવામાં આવે તેવુ હાલમાં ગામના લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે વધુમાં એવી પણ માહિતી મળી છે કે જૂના ગામમાં જે કાંઈ મનદુખ કે માથાકૂટ હોય તેનું ઘર નવાગામમાં ન થાય તે માટે થઇને શિવનગર ગામના લોકોએ સ્વયંભૂ રીતે પોતે આ ચૂંટણીથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે જેથી કરીને 891 મતદારો આ ચૂંટણીની અંદર મતદાન કરશે નહીં..!