મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

વતનમાં આવેલ બહાદુર દીકરીનું કરાયું અદકેરું સન્માન: મોરબીની પીન્ટુબેન કંઝારીયા નામની દીકરીએ CISF ની ટ્રેનિંગ લીધા બાદ દિલ્હી સંસદ ભવન ખાતે પોસ્ટિંગ મેળવ્યું


SHARE







મોરબી નજીકના શનાળા ગામ પાસે આવેલ ગોકુલનગર વિસ્તારમાં રહેતી પીન્ટુબેન કંઝારીયા નામની દીકરીએ તાજેતરમાં સીઆઈએસએફ ની ટ્રેનિંગ પૂર્ણ કરીને દિલ્હી સંસદ ભવન ખાતે પોસ્ટિંગ મેળવ્યું છે અને ત્યારબાદ તે પ્રથમ વખત પોતાના વતનમાં ઘરે આવી રહી હતી જેથી કરીને કંઝારીયા પરિવાર તથા મોરબીના લોકો દ્વારા તેનો સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું

છેલ્લા વર્ષોમાં સેનામાં ભરતી થવા માટે ગુજરાતી યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અને તેમાં પણ સેનામાં જોડાયા બાદ ટ્રેનિંગ લઈને પરત આવતા યુવક કે યુવતી તેમજ નિવૃત્ત થઈને આવતા યુવક કે યુવતીઓનું અદકેરું સન્માન કરવામાં આવે છે તેવા સમયે મોરબીના બાયપાસ રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે શનાળા ગામ નજીક આવેલ ગોકુલનગર વિસ્તારમાં રહેતા
મનજીભાઈ પોપટભાઈ કંઝારીયાની દીકરી પીન્ટુબેન કંઝારીયા ભારતીય સેનામાં સીઆઈએસએફ માં જોડાયેલ અને તેને કમાન્ડો સુધીની તાલીમ લીધા બાદ તાજેતરમાં તેનું સૌપ્રથમ પોસ્ટિંગ દિલ્હી સંસદ ભવન ખાતે થયું છે ત્યારબાદ તેઓ પ્રથમ વખત પોતાના ઘરે વતનમાં આવી રહ્યા હોય મોરબીના ભક્તિનગર સર્કલ પાસેથી પીન્ટુબેન કંઝારીયાના ઘર સુધી કંઝારીયા, સતવારા સમાજના અગ્રણીઓ તેમજ સ્થાનિક લોકો દ્વારા પીન્ટુબેન કંઝારીયાનું અઅદકેરું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને આ તકે તેઓને સાલ ઓઢાડીને તેમજ રામ મંદિરની
પ્રતિકૃતિ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવેલ હતા. 






Latest News