મોરબીમાં પ્રોપેન ગેસ આધારિત સિરામિક કારખાના હવે વધુમાં વધુ 24 થી 48 કલાકમાં બંધ થઈ જશે: પ્રમુખ હરેશભાઈ બોપલિયા હળવદ નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કેનાલમાં ડૂબી ગયેલ યુવાનનો હજુ કોઈ પત્તો નહીં મોરબીમાં ઘરમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા ટંકારા ખાતે સર્વરોગ નિદાન મેડીકલ કેમ્પનું આયોજન  વાંકાનેરમાં ધૂળેટીએ બઘડાટી: મહિલાને ઠપકો આપવા ગયેલ શેરીના લોકો ઉપર ઈંટ-પથ્થરના છૂટા ઘા કરીને હુમલો મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી જગ્યાએ ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા બે યુવાનોના મોત: વાંકાનેરમાં સિંધાવદર પાસે પાણીના વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે કબીર ટેકરીમાં ઘરમાં જુગાર રમતા 18 શખ્સ પકડાયા, 6.15 લાખનો મુદામાલ કબ્જે મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે
Breaking news
Morbi Today

વતનમાં આવેલ બહાદુર દીકરીનું કરાયું અદકેરું સન્માન: મોરબીની પીન્ટુબેન કંઝારીયા નામની દીકરીએ CISF ની ટ્રેનિંગ લીધા બાદ દિલ્હી સંસદ ભવન ખાતે પોસ્ટિંગ મેળવ્યું


SHARE













મોરબી નજીકના શનાળા ગામ પાસે આવેલ ગોકુલનગર વિસ્તારમાં રહેતી પીન્ટુબેન કંઝારીયા નામની દીકરીએ તાજેતરમાં સીઆઈએસએફ ની ટ્રેનિંગ પૂર્ણ કરીને દિલ્હી સંસદ ભવન ખાતે પોસ્ટિંગ મેળવ્યું છે અને ત્યારબાદ તે પ્રથમ વખત પોતાના વતનમાં ઘરે આવી રહી હતી જેથી કરીને કંઝારીયા પરિવાર તથા મોરબીના લોકો દ્વારા તેનો સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું

છેલ્લા વર્ષોમાં સેનામાં ભરતી થવા માટે ગુજરાતી યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અને તેમાં પણ સેનામાં જોડાયા બાદ ટ્રેનિંગ લઈને પરત આવતા યુવક કે યુવતી તેમજ નિવૃત્ત થઈને આવતા યુવક કે યુવતીઓનું અદકેરું સન્માન કરવામાં આવે છે તેવા સમયે મોરબીના બાયપાસ રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે શનાળા ગામ નજીક આવેલ ગોકુલનગર વિસ્તારમાં રહેતા
મનજીભાઈ પોપટભાઈ કંઝારીયાની દીકરી પીન્ટુબેન કંઝારીયા ભારતીય સેનામાં સીઆઈએસએફ માં જોડાયેલ અને તેને કમાન્ડો સુધીની તાલીમ લીધા બાદ તાજેતરમાં તેનું સૌપ્રથમ પોસ્ટિંગ દિલ્હી સંસદ ભવન ખાતે થયું છે ત્યારબાદ તેઓ પ્રથમ વખત પોતાના ઘરે વતનમાં આવી રહ્યા હોય મોરબીના ભક્તિનગર સર્કલ પાસેથી પીન્ટુબેન કંઝારીયાના ઘર સુધી કંઝારીયા, સતવારા સમાજના અગ્રણીઓ તેમજ સ્થાનિક લોકો દ્વારા પીન્ટુબેન કંઝારીયાનું અઅદકેરું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને આ તકે તેઓને સાલ ઓઢાડીને તેમજ રામ મંદિરની
પ્રતિકૃતિ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવેલ હતા. 






Latest News