મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબી : પૂર્વ સાંસદ મોહન કુંડારિયાની સક્રિય રાજકારણમાં ફરી એન્ટ્રી : 18 વર્ષ બાદ સંગઠનમાં જવાબદારી


SHARE













પૂર્વ સાંસદ મોહન કુંડારિયાની સક્રિય રાજકારણમાં ફરી એન્ટ્રી : 18 વર્ષ બાદ સંગઠનમાં જવાબદારી

અગાઉ 10 વર્ષ માટે સાંસદ રહી ચૂક્યા છે, તે પેહલા 1995 થી 2014 ધારાસભ્ય, 1987માં તાલુકા ભાજપ પ્રમુખ અને 2007માં જિલ્લા ભાજપ પ્રમુખની જવાબદારી સંભાળી ચૂક્યા છે : હવે પ્રદેશ ભાજપના સહ-કોષાધ્યક્ષ બન્યા

સૌરાષ્ટ્રના અનુભવી નેતા, ધારાસભ્ય - સાંસદ અને મંત્રી રહી ચૂકેલા 75 વર્ષીય મોહનભાઈ કુંડારિયાની ફરી સક્રિય રાજકારણમાં એન્ટ્રી થઈ છે. તેઓને પક્ષે પ્રદેશની ટીમમાં સામેલ કર્યા છે. રાજકોટના પૂર્વ સાંસદ મોહન કુંડારીયાને ભાજપ પ્રદેશ સહ કોષાધ્યક્ષની જવાબદારી આપી છે. આ સાથે સંગઠનમાં તેમની 18 વર્ષ બાદ ફરી જવાબદારી મળી છે. અગાઉ મોહનભાઈએ તેમની શરૂઆત જ તાલુકો ભાજપથી કરી હતી જેમાં તેઓ 1987માં પ્રમુખ બન્યા હતા.ત્યારબાદ તેઓ 1995 માં કેશુભાઈ પટેલની સરકારમાં પડધરી ટંકારા થી ધારાસભ્ય તરીકે ચૂંટાયા, જે સતત 2014 સુધી રહ્યા. અને ત્યારબાદ ધારાસભા થી સીધા સાંસદ બનતા તેઓ રાજકોટ ની લોકસભા બેઠક પર થી જંગી બહુમતીથી ચૂંટાયા.

તેઓ મોદી સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી પણ રહ્યા. આ વચ્ચે તેઓ વર્ષ 2007માં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ પણ બન્યા હતા. હવે સીધા 2025 માં ફરી સંગઠનમાં જવાબદારી મળતા 18 વર્ષ બાદ જવાબદારી મળી છે.આ સાથે 2024 માં રાજકોટ લોકસભા બેઠકથી પરષોત્તમભાઈ રૂપાલાને ટિકિટ મળી હતી અને તેઓ પણ ચાર લાખ થી વધુ મતોથી જીત્યા હતા, ત્યારે અનેક લોકો માનતા હતા કે હવે મોહનભાઈ ની ઉમર થઈ છે અને પક્ષને તેમને રાજકારણમાં આરામ માટે કહેશે, પરંતુ અનુભવી મોહનભાઈએ દિલ્હીથી સીધી કનેક્શન લગાડ્યું અને પોતાના માટે પ્રદેશ ટીમમાં જગ્યા બનાવી લીધી. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ નજીકના મનાતા અને વિશ્વાસુ એવા ડો.પરિંદુ ભગત (કાકુભાઈ) સાથે કામ કરશે, જેઓ પ્રદેશ ભાજપના કોષાધ્યક્ષ બન્યા છે






Latest News