વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબી નજીક આવેલ ભરતવન ફાર્મ ખાતે સમસ્ત ઉધરેજા પરિવારનું સ્નેહમિલન યોજાયું


SHARE













મોરબી નજીક આવેલ ભરતવન ફાર્મ ખાતે સમસ્ત ઉધરેજા પરિવારનું સ્નેહમિલન યોજાયું

સમસ્ત ઉધરેજા પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી સ્નેહમિલન અને વિધાર્થી સન્માન સમારોહનું આયોજન કરે છે તેવામાં તાજેતરમાં મોરબીના ભરતનગર ગામ પાસે આવેલ ભરતવન ફાર્મ ખાતે નવમુ સ્નેહમિલન યોજાયું હતું. આ તકે પ્લે હાઉસથી માંડીને માસ્ટર ડિગ્રી સુધીના વિધાર્થીઓનું  શિલ્ડ, લેપટોપ, બાઇક વિગેરે આપીને સન્માન કર્યું હતું અને બીજા વિવિધ પારિતોષિક પણ આપવામાં આવેલ હતા. તો પરિવારના વિદ્યાર્થીઓ ઉજવાળ કારકિર્દી બનાવે તેના માટે વડીલો, ડોક્ટરો સહિતનાઓએ આશીર્વાદ આપ્યા હતા. આ તકે ડો. ભાવેશભાઈ જેતપરિયાએ પટેલ સમાજના શિક્ષણના જનક સમા પ્રાતઃ સ્મરણીય લક્ષ્મણભાઇ બેચરભાઈ ઉઘરેજા (લક્ષ્મણ બાપા) પર ઉત્કૃષ્ટ પ્રેરણામય વ્યાખ્યાન આપ્યું હતું. આ સ્નેહમિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહમાં દરેક વખતે અલગ અલગ દાતાઓ હોય છે જો કે, આ વર્ષે સંપૂર્ણ આયોજનના દાતા બાબુભાઈ લાધાભાઈ ઉઘરેજા તથા શ્રીમતી ગોદાવરીબેન બાબુભાઈ (હરીપર) તથા રાજા પરીવાર રહ્યું હતું.






Latest News