MMC@1: મોરબી મનપાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને લીધી મુલાકાત
મોરબી નજીક આવેલ ભરતવન ફાર્મ ખાતે સમસ્ત ઉધરેજા પરિવારનું સ્નેહમિલન યોજાયું
SHARE
મોરબી નજીક આવેલ ભરતવન ફાર્મ ખાતે સમસ્ત ઉધરેજા પરિવારનું સ્નેહમિલન યોજાયું
સમસ્ત ઉધરેજા પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી સ્નેહમિલન અને વિધાર્થી સન્માન સમારોહનું આયોજન કરે છે તેવામાં તાજેતરમાં મોરબીના ભરતનગર ગામ પાસે આવેલ ભરતવન ફાર્મ ખાતે નવમુ સ્નેહમિલન યોજાયું હતું. આ તકે પ્લે હાઉસથી માંડીને માસ્ટર ડિગ્રી સુધીના વિધાર્થીઓનું શિલ્ડ, લેપટોપ, બાઇક વિગેરે આપીને સન્માન કર્યું હતું અને બીજા વિવિધ પારિતોષિક પણ આપવામાં આવેલ હતા. તો પરિવારના વિદ્યાર્થીઓ ઉજવાળ કારકિર્દી બનાવે તેના માટે વડીલો, ડોક્ટરો સહિતનાઓએ આશીર્વાદ આપ્યા હતા. આ તકે ડો. ભાવેશભાઈ જેતપરિયાએ પટેલ સમાજના શિક્ષણના જનક સમા પ્રાતઃ સ્મરણીય લક્ષ્મણભાઇ બેચરભાઈ ઉઘરેજા (લક્ષ્મણ બાપા) પર ઉત્કૃષ્ટ પ્રેરણામય વ્યાખ્યાન આપ્યું હતું. આ સ્નેહમિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહમાં દરેક વખતે અલગ અલગ દાતાઓ હોય છે જો કે, આ વર્ષે સંપૂર્ણ આયોજનના દાતા બાબુભાઈ લાધાભાઈ ઉઘરેજા તથા શ્રીમતી ગોદાવરીબેન બાબુભાઈ (હરીપર) તથા રાજા પરીવાર રહ્યું હતું.