મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા અમૃતમંથનનો કાર્યક્રમ યોજાયો
રાજય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે વાધરવા ગામે કાલે રામધૂન
SHARE
રાજય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે વાધરવા ગામે કાલે રામધૂન
મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે માળિયાની તાલુકાના વાધરવા ગામે ગ્રામ પંચાયત દ્વારા રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે
મોરબી માળિયા વિધાનસભા વિસ્તારના લોક લાડીલા અને લડાયક ધારાસભ્ય તથા ગુજરાત રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાલમાં કેન્સરની મુંબઈ ખાતે સારવાર ચાલી રહી છે ત્યારે તેઓના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે તેમના અનેક કાર્યકર્તાઓ અને ટેકેદારો સહિતનાઓ દ્વારા ભગવાનને પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે દરમિયાન માળિયા મીયાણા તાલુકાના વાધરવા ગામે ગ્રામ પંચાયત દ્વારા રામજી મંદિર ખાતે તા. 30/11 ને મંગળવારના રોજ રાત્રે 8 વાગ્યે રામધુનનું આયોજન કરવામાં આવ્યું છે અને સમસ્ત વાધરવા ગામના લોકો આ કાર્યક્રમમાં જોડાશે