મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા પંચાયતના રિનોવેશ બાદ લોકાર્પણ ?, સ્ટાફની ભરતી કરવાની ચિંતા કરો: મહેશ રાજકોટિયા


SHARE







ટંકારા તાલુકા પંચાયતના રિનોવેશ બાદ લોકાર્પણ ?, સ્ટાફની ભરતી કરવાની ચિંતા કરો: મહેશ રાજકોટિયા

ટંકારા તાલુકા પંચાયત કચેરીનું નવીનીકરણ કરવામાં આવ્યા બાદ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જેને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને સોમવારે સાંજે યોજાયેલ કાર્યક્રમ સામે જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય મહેશ રાજકોટિયાએ આકરા પ્રહારો કર્યા છે. તેમણે આ લોકાર્પણને પબ્લિસિટી સ્ટંટ ગણાવેલ છે અને ત્યાં ઓફિસમાં વર્ષોથી સ્ટાફની જગ્યા ખાલી છે તેને ભરવામાં આવે તેવી ટકોર કરી છે.

ટંકારા તાલુકા પંચાયત કચેરીનું નવીનીકરણ થયા બાદ સોમવારે સાંજે તેનું મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષ સ્થાને લોકાર્પણ કરવામાં આવ્યું છે અને તેમાં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, તાલુકા પંચાયત પ્રમુખ છાયાબેન માંડવીયા, અને અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા. અને વહીવટી તંત્ર તરફથી ઇન્ચાર્જ ડીડીઓ એન.એસ. ગઢવી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

 

ત્યારે કોંગ્રેસનાં આગેવાન મહેશ રાજકોટિયાએ જણાવ્યુ હતું કે, જૂની બિલ્ડિંગનું ફરી લોકાર્પણ કેમ ?, આ કચેરી વર્ષોથી કાર્યરત છે. માત્ર જર્જરિત હાલતને કારણે રિનોવેશન કરવામાં આવ્યું છે, તો પછી નવી બિલ્ડિંગની જેમ તેનું ફરીથી લોકાર્પણ કરવાની શું જરૂર છે ?,નવીનીકરણ પાછળ આશરે 35 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આટલી મોટી રકમ ખર્ચ્યા બાદ પણ માત્ર રાજકીય દેખાડો કરવા માટે કાર્યક્રમો યોજીને જનતાના પૈસા વેડફવામાં આવી રહ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.

આ વધુમાં તેઓએ કહ્યું હતું કે, વર્ષ 2000 થી તાલુકો અસ્તિત્વમાં આવ્યો છે, પરંતુ આજદિન સુધી જરૂરી મહેકમ (સ્ટાફ) મંજૂર કે પૂર્ણ કરવામાં આવ્યું નથી. કર્મચારીઓની અછતને કારણે જનતાએ રોજ ધક્કા ખાવા પડે છે, જેની ચિંતા કરવાને બદલે સત્તાધારી પક્ષ 'તાયફા'માં વ્યસ્ત છે. અને અધિકારીઓએ પણ કાર્યક્રમોમાં ધ્યાન દેવાના બદલે ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે સરકારમાં રજૂઆત કરવાની જરૂર છે તેવી ટકોર કરી હતી.






Latest News