મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા પંચાયતના રિનોવેશ બાદ લોકાર્પણ ?, સ્ટાફની ભરતી કરવાની ચિંતા કરો: મહેશ રાજકોટિયા


SHARE









ટંકારા તાલુકા પંચાયતના રિનોવેશ બાદ લોકાર્પણ ?, સ્ટાફની ભરતી કરવાની ચિંતા કરો: મહેશ રાજકોટિયા

ટંકારા તાલુકા પંચાયત કચેરીનું નવીનીકરણ કરવામાં આવ્યા બાદ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જેને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને સોમવારે સાંજે યોજાયેલ કાર્યક્રમ સામે જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય મહેશ રાજકોટિયાએ આકરા પ્રહારો કર્યા છે. તેમણે આ લોકાર્પણને પબ્લિસિટી સ્ટંટ ગણાવેલ છે અને ત્યાં ઓફિસમાં વર્ષોથી સ્ટાફની જગ્યા ખાલી છે તેને ભરવામાં આવે તેવી ટકોર કરી છે.

ટંકારા તાલુકા પંચાયત કચેરીનું નવીનીકરણ થયા બાદ સોમવારે સાંજે તેનું મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષ સ્થાને લોકાર્પણ કરવામાં આવ્યું છે અને તેમાં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, તાલુકા પંચાયત પ્રમુખ છાયાબેન માંડવીયા, અને અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા. અને વહીવટી તંત્ર તરફથી ઇન્ચાર્જ ડીડીઓ એન.એસ. ગઢવી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

 

ત્યારે કોંગ્રેસનાં આગેવાન મહેશ રાજકોટિયાએ જણાવ્યુ હતું કે, જૂની બિલ્ડિંગનું ફરી લોકાર્પણ કેમ ?, આ કચેરી વર્ષોથી કાર્યરત છે. માત્ર જર્જરિત હાલતને કારણે રિનોવેશન કરવામાં આવ્યું છે, તો પછી નવી બિલ્ડિંગની જેમ તેનું ફરીથી લોકાર્પણ કરવાની શું જરૂર છે ?,નવીનીકરણ પાછળ આશરે 35 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આટલી મોટી રકમ ખર્ચ્યા બાદ પણ માત્ર રાજકીય દેખાડો કરવા માટે કાર્યક્રમો યોજીને જનતાના પૈસા વેડફવામાં આવી રહ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.

આ વધુમાં તેઓએ કહ્યું હતું કે, વર્ષ 2000 થી તાલુકો અસ્તિત્વમાં આવ્યો છે, પરંતુ આજદિન સુધી જરૂરી મહેકમ (સ્ટાફ) મંજૂર કે પૂર્ણ કરવામાં આવ્યું નથી. કર્મચારીઓની અછતને કારણે જનતાએ રોજ ધક્કા ખાવા પડે છે, જેની ચિંતા કરવાને બદલે સત્તાધારી પક્ષ 'તાયફા'માં વ્યસ્ત છે. અને અધિકારીઓએ પણ કાર્યક્રમોમાં ધ્યાન દેવાના બદલે ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે સરકારમાં રજૂઆત કરવાની જરૂર છે તેવી ટકોર કરી હતી.






Latest News