મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં મુખ્યમંત્રી ભવિષ્ય કૌશલ વિકાસ યોજનાના સેન્ટર ખાતે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો કાર્યકમ યોજાયો


SHARE







મોરબીમાં મુખ્યમંત્રી ભવિષ્ય કૌશલ વિકાસ યોજનાના સેન્ટર ખાતે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો કાર્યકમ યોજાયો

મોરબીના રવાપર રીડે આવેલ ઘનશ્યામ માર્કેટમાં મુખ્યમંત્રી ભવિષ્ય કૌશલ વિકાસ યોજના હેઠળ સેન્ટર ચાલે છે ત્યાં 31 ડિસેમ્બરની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવેલ હતો. જેમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતાં પાત્રો જેવા કે, રાણી લક્ષ્મીબાઈ, રાણી પદ્માવતી, કાશી, અર્જુન, ભગવાન પરશુરામ, ગૃહિણી જેવા અલગ અલગ પાત્રો ભજવ્યા અને જ્ઞાન સાથે ગમ્મતનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમમા અતિથિવિશેષ તરીકે જયશ્રીબેન વાઘેલા, આરતીબેન રત્નાણી, અને હેતલબેન જોષી ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ સેન્ટર સ્ટાફ પૂનમબેન, ચાંદનીબેન,ભવ્યભાઈ અને ભગિરથભાઈ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં અંદાજે 30 થી 40 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેન્ટર મેનેજર કપિલભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. હાલમાં સરકાર માન્ય સર્ટિફિકેટ સાથે ફ્રી માં નર્સિંગની ટ્રેનિંગ આપવામાં આવે છે. અને ભવિષ્યમાં નવા અલગ અલગ કોર્ષિસ આવવાના છે તો વહેલા તે પહેલાના ધોરણે સેન્ટરની મુલાકાત લેવાનું જણાવવામાં આવે છે.






Latest News