ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં મુખ્યમંત્રી ભવિષ્ય કૌશલ વિકાસ યોજનાના સેન્ટર ખાતે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો કાર્યકમ યોજાયો


SHARE













મોરબીમાં મુખ્યમંત્રી ભવિષ્ય કૌશલ વિકાસ યોજનાના સેન્ટર ખાતે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો કાર્યકમ યોજાયો

મોરબીના રવાપર રીડે આવેલ ઘનશ્યામ માર્કેટમાં મુખ્યમંત્રી ભવિષ્ય કૌશલ વિકાસ યોજના હેઠળ સેન્ટર ચાલે છે ત્યાં 31 ડિસેમ્બરની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવેલ હતો. જેમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતાં પાત્રો જેવા કે, રાણી લક્ષ્મીબાઈ, રાણી પદ્માવતી, કાશી, અર્જુન, ભગવાન પરશુરામ, ગૃહિણી જેવા અલગ અલગ પાત્રો ભજવ્યા અને જ્ઞાન સાથે ગમ્મતનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમમા અતિથિવિશેષ તરીકે જયશ્રીબેન વાઘેલા, આરતીબેન રત્નાણી, અને હેતલબેન જોષી ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ સેન્ટર સ્ટાફ પૂનમબેન, ચાંદનીબેન,ભવ્યભાઈ અને ભગિરથભાઈ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં અંદાજે 30 થી 40 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેન્ટર મેનેજર કપિલભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. હાલમાં સરકાર માન્ય સર્ટિફિકેટ સાથે ફ્રી માં નર્સિંગની ટ્રેનિંગ આપવામાં આવે છે. અને ભવિષ્યમાં નવા અલગ અલગ કોર્ષિસ આવવાના છે તો વહેલા તે પહેલાના ધોરણે સેન્ટરની મુલાકાત લેવાનું જણાવવામાં આવે છે.








Latest News