મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં અકસ્માતથી ગાડીમાં થયેલ નુકશાન ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ


SHARE













મોરબીમાં અકસ્માતથી ગાડીમાં થયેલ નુકશાન ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ

મોરબી ત્રાજપર વિસ્તારમાં રહેતા વ્યક્તિએ પોતાની ગાડીનો વીમો રોયલ સુંદરમ ઇન્સ્યોરન્સમાંથી લીધેલ હતો. તેઓ માળીયાથી મોરબી આવતા હતા ત્યારે ટ્રક ડ્રાઈવરે અચાનક બ્રેક મારતા તેની ગાડી પાછળના ભાગે ભટકાતા ગાડીને નુકશાન થયું હતું અને ,૨૨,૭૫૦ નું નુકશાન થયેલ હોવાની વીમા કંપનીને જાણ કરેલ હતી તો પણ વીમા કંપનીએ વીમો આપવાની ના પાડતા ભોગ બનેલા વ્યક્તિએ મોરબી શહેર/ જિલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ દ્રારા ગ્રાહક અદાલતમાં કેસ કાર્યો હતો. જેમાં કોર્ટે ૧૨૨૭પ૦ રૂપિયા તા. ૧૫/૩/૨૫ થી છ ટકાના વ્યાજ સાથે ચૂકવવા માટે હુકમ કરલે છે અને વીમા કંપની સમય મર્યાદામાંના ચુકવે તો નવ ટકાના વ્યાજ અને ૫૦૦૦ ખર્ચ સાથેના ચુકવવા આદેશ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, મોરબી ત્રાજપર ના વતની પરેશભાઈ મનુભાઈ ગોલતરપોતાની ગાડી લઈને માળિયાથી મોરબી આવતા હતા તેની આગળ ટ્રક જતો હતો અને ટ્રકના ડ્રાઇવરે ઓચીતાની બ્રેક મારતા પરેશભાઈ મનુભાઈ ગોલતરને નુકશાન થયેલ હતું અને તેનો કુલ ખર્ચ ૧રર૭પ૦ થયેલ હતો તેઓનો વીમો રોયલ સુંદરમ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની હતો. અને વીમા માટે તમામ કાગળો આપવા છતા રેપ્યુડ લેટરથી ફરીયાદીના કલેઈમાં એવું કારણ આપેલ કે ગુગલ ટાઇમ લાઇનથી અકસ્માત સમયે ફરીયાદી હાજર ન હતા તેથી વીમો મળે નહી અદાલતે કહ્યું કે વીમા કંપની રેપ્યુર્ડ લેટરથી બહારનો કોઈ બચાવ કરી શકે નહી ફરીયાદી હાજર હોય કે ના હોય ગાડીનો વીમો છે તેને પ્રીમીયમ ભરેલ છે તેમજ સર્વેયરે નુકશાનીનો આકડો રૂા. ૧૦૩૭૨૮/- આપેલ છે માટે વીમા કંપનીની સેવામાં ખામી છે તેથી વીમા કંપનીએ પરેશભાઈ મનુભાઈ ગોલતરને ૧૦૩૭૨૮ તથા પ૦૦૦ ખર્ચના તા. ૧૫/૩/૨૫ થી છ ટકા લેખે ચુકવવાના અને સમય મર્યાદામાં ચુકવવામાં નહી આવે તો નવ ટકા લેખે ચુકવવાનો આદેશ કરવામાં આવેલ છે.






Latest News