ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાંથી સગીરાનું અપહરણ કરનાર અમદાવાદના શખ્સની ધરપકડ


SHARE













મોરબીમાંથી સગીરાનું અપહરણ કરનાર અમદાવાદના શખ્સની ધરપકડ

મોરબીમાં ગેસ્ટ હાઉસ રોડ નજીક રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી સગીરાના પરિવારજન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી તેવામાં સગીરા અમદાવાદ ખાતે હોવાની હક્કિત મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં જઈને સગીરાને હસ્તગત કરી હતી અને આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી શહેરમાંરહેતા પરિવારની સગીરનું અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું જેની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જેમાં તેમણે જણાવ્યુ હતું કે, તેઓના ઘર પાસેથી તેની સગીર વયની દીકરીનું અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે જેથી પોલીસે ગુનો નોંધીને સગીરાને શોધવા અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ સી.એસ.સૌંદરવા અને તેની ટીમ દ્વારા ગણતરીની કલાકોમાં ચિરાગ નરેશભાઈ મકવાણા સાધુ 21 રહે પુરાણી સોસાયટી મજૂર ગામ ગીતામંદિર અમદાવાદ મૂળ રહે પાલણ ગામ વલભીપુર ભાવનગર વાળાની ધરપકડ કરેલ છે અને સગીરાને હસ્તગત કરવામાં આવી હતી. વધુમાં મળતી માહિતી મુજબ ભોગ બનનાર સગીરા સ્નેપચેટ વડે આરોપીના સંપર્કમાં આવી હતી અને ત્યાર બાદમાં તેઓ વચ્ચે વાતચીત થતી હતી અને સગીરા ગુમ થઈ ગયા બાદ અમદાવાદના ઉમિયાનગર શાહવાડી વિસ્તારમાંથી ચિરાગ નરેશભાઈ મકવાણા સાથે મળી આવી હતી જેથી કરીને પોલીસે આરોપીને પકડી આગળની કાર્યવાહી કરેલ છે.

અકસ્માતમાં ઇજા

માટેલ વાંકાનેર રોડ ઉપરથી રમેશભાઈ જીવાભાઈ વીરસોડિયા (50) નામના આધેડ બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે વઘાસીયા ટોલનાકા પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ આધેડને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

મહિલા સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ 158 લોટસ સોસાયટીમાં રહેતા જોત્સનાબેન દીપકભાઈ રાણસરિયા (49) નામના મહિલા એકટીવામાં પાછળ બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતના બનાવમાં તેઓને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે








Latest News