મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે આવેલ જલારામ એપાર્ટમેન્ટ ખાતે મારામારી: બંને પક્ષેથી ત્રણ મહિલાને ઇજા


SHARE







મોરબીના નવલખી રોડે આવેલ જલારામ એપાર્ટમેન્ટ ખાતે મારામારી: બંને પક્ષેથી ત્રણ મહિલાને ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેન્ટ મેરી સ્કૂલની પાછળના ભાગમાં જલારામ એપાર્ટમેન્ટ ખાતે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં બંને પક્ષેથી કુલ મળીને ત્રણ મહિલાઓને ઈજા થયેલ હોવાથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટ મેરી સ્કૂલની પાસેના ભાગમાં આવેલ જલારામ એપાર્ટમેન્ટ ખાતે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં બંને પક્ષેથી કુલ મળીને ત્રણ મહિલાઓને ઈજા થઈ હતી જેમાં સોનલબેન હિતેશભાઈ નાગર અને સાક્ષીબેન રાજભાઈ રબારી રહે. બંને વાવડી રોડ મોરબી તથા સામાપક્ષેથી મિતલબેન સાગરભાઇ પલાણ (31) રહે. જલારામ એપાર્ટમેન્ટ મોરબી વાળાને ઇજા થઈ હતી જેથી તે ત્રણેયને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.

મારામારીમાં બનાવમાં ઇજા

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં બંને પક્ષેથી બાળક સહિત કુલ મળીને પાંચ વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે લઈ આવ્યા હતા અને ઈજા પામેલા વ્યક્તિઓમાં સુરેશભાઈ લક્ષ્મણભાઈ ઉઘરેજીયા (30), સુનિતાબેન સુરેશભાઈ ઉઘરેજીયા (30), અર્જુન સુરેશભાઈ ઉઘરેજીયા (6) અને સમાપક્ષેથી વિજય લક્ષ્મણભાઈ ઉઘરેજીયા (28)શોભાબેન વિજયભાઈ ઉઘરેજીયા (26નો સમાવેશ થાય છે અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News