ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં વીજ કંપનીના અંડર ગ્રાઉન્ડ વાયર પાથરવાના કામ સમયે માથામાં પ્લેટ વાગતા ઇજા પામેલા યુવાનનું મોત


SHARE













મોરબીમાં વીજ કંપનીના અંડર ગ્રાઉન્ડ વાયર પાથરવાના કામ સમયે માથામાં પ્લેટ વાગતા ઇજા પામેલા યુવાનનું મોત

મોરબીના ઘુનડા રોડ ઉપર ગ્રીન સિટી એપાર્ટમેન્ટ પાસે વીજ કંપનીના વાયરને અંડર ગ્રાઉન્ડ પાથરવા માટેની કામગીરી ચાલી રહી છે દરમિયાન ત્યાં મજૂરી કામ કરતા મજૂરના માથામાં પ્લેટ વાગવાના કારણે યુવાનને ગંભીર ઈજા થઈ હતી જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના રવાપર ગામ નજીક આવેલ પાવર હાઉસ પાસે રહેતો અને મજૂરી કામ કરતો મુન્નાભાઈ મલસીંગ ડામોર (19) નામનો યુવાન ઘુનડા રોડ ઉપર ગ્રીન સિટી એપાર્ટમેન્ટ પાસે કામ દરમિયાન યુવાનને માથામાં પ્લેટ વાગવાના કારણે માથામાં ગંભીર ઇજા થઈ હતી જેથી ઈજા પામેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ ફુલતરીયા દ્વારા કરવામાં આવી હતી. જેથી તેઓની પાસેથી મળતી માહિતી મુજબ જે જગ્યાએ બનાવ બનેલ છે ત્યાં અંડર ગ્રાઉન્ડ કેબલ વાયર પાથરવા માટેનું કામ ચાલુ હતું અને ત્યાં યુવાન કામ કરી રહ્યો હતો ત્યારે માથામાં પ્લેટ વાગવાના કારણે યુવાનને ગંભીર ઇજા થઈ હતી અને તેનું સારવારમાં મોત નીપજયું છે

બાઇક સ્લીપ

વાંકાનેરના વઘાસિયા ગામે રહેતા રમેશભાઈ ધુળાભાઈ ઉઘરેજા (37) નામના યુવાનનું ગામમાં બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા ભોળાભાઈ ભગવાનજીભાઈ કોળી (42) નામના યુવાનને મોરબીમાં સિવિલ હોસ્પિટલના ગેટ પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.








Latest News