મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીની ઓમ વિદ્યાવાસીની પીટીસી કોલેજના તાલીમાર્થીઓએ વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવાય ? એનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું


SHARE









મોરબીની ઓમ વિદ્યાવાસીની પીટીસી કોલેજના તાલીમાર્થીઓએ વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવાય ? એનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું

મોરબી ઓમ વિદ્યાવાસીની પીટીસી કોલેજમાં પ્રાથમિક શિક્ષક બનવા માટે પીટીસીની તાલીમ કે જે હવે ડી.એલ.એડ. તરીકે ઓળખાય છે એની તાલીમ પ્રાપ્ત કરતાં પ્રથમ વર્ષના 56 જેટલા પ્રથમ વર્ષના તાલીમાર્થીઓ માધાપરવાડી કુમાર- કન્યા શાળાની મુલાકાત લઈ બાલવાટિકાથી ધો.8 આઠમાં શિક્ષકો દ્વારા ભણાવવામાં આવતા પાઠનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી નોંધો તૈયાર કરી હતી. આ તકે શાળાના પ્રિન્સિપાલ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ શાળાનો પરિચય, શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ તેમજ પીટીસીનું મહત્વ, શિક્ષકોનું મહત્વ, શિક્ષકોના વ્યવસાયની ગરિમા,કેવી રીતે અધ્યયન કરવું અને કેવી રીતે અધ્યાપન કરાવવું તેંની વિસ્તૃત સમજ આપી હતી ત્યારબાદ બધા તાલીમાર્થી ત્રણ ત્રણની જોડીમાં માધાપર કુમાર અને કન્યા એમ બંને શાળાના બાલવાટીકાથી ધો.8 આઠના વર્ગોમાં બેસીને પાઠ નિરિક્ષણ કરી પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તાલીમાર્થીઓ સાથે કોલેજના પ્રાધ્યાપક કેતન જોષી જોડ્યા હતા અને એમને પણ તાલીમાર્થીઓને તાલીમ આપી હતી,સાથે બીજા અધ્યાપકો પણ જોડાયા હતાં.






Latest News