મોરબીમાં ઘરમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા ટંકારા ખાતે સર્વરોગ નિદાન મેડીકલ કેમ્પનું આયોજન  વાંકાનેરમાં ધૂળેટીએ બઘડાટી: મહિલાને ઠપકો આપવા ગયેલ શેરીના લોકો ઉપર ઈંટ-પથ્થરના છૂટા ઘા કરીને હુમલો મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી જગ્યાએ ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા બે યુવાનોના મોત: વાંકાનેરમાં સિંધાવદર પાસે પાણીના વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે કબીર ટેકરીમાં ઘરમાં જુગાર રમતા 18 શખ્સ પકડાયા, 6.15 લાખનો મુદામાલ કબ્જે મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે
Breaking news
Morbi Today

રાજ્ય મંત્રી અને મોરબીના ધારાસભ્યના પ્રયાસોથી માળિયા (મી)ના CCI કેન્દ્રમાં સપ્તાહમાં ત્રણ દિવસ કપાસની ખરીદી કરાશે


SHARE













રાજ્ય મંત્રી અને મોરબીના ધારાસભ્યના પ્રયાસોથી માળિયા (મી)ના CCI કેન્દ્રમાં સપ્તાહમાં ત્રણ દિવસ કપાસની ખરીદી કરાશે

માળિયા (મી)ના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે અને માળીયાના સીસીઆઈ ખરીદ કેન્દ્ર ખાતે સપ્તાહમાં બે દિવસ જ ખરીદી થતી હતી જો કે રાજ્ય મંત્રી અને મોરબીના ધારાસભ્યના પ્રયાસોથી હવે સપ્તાહમાં ત્રણ દિવસ કપાસની ખરીદી કરવામાં આવશે.

માળીયા મિયાણા તાલુકાનાં સીસીઆઈ કેન્દ્રમાં બે જ દિવસ ખરીદી કરવામાં આવતી હતી જેથી કરીને ખેડૂતોને કપાસ વેચાણમાં વિલંબ થતો હતો જેથી કરીને કપાસ ખરીદી ઝડપથી કરવામાં આવે અને ખેડૂતોનો કપાસ સમયસર વેચાઈ જાય તે માટે માળિયા પંથકના ખેડૂતો અને તાલુકા ભાજપના આગેવાનો દ્વારા રાજ્ય મંત્રી અને મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને કપાસ ખરીદીના દિવસ વધારવા માટેની રજૂઆત કરી હતી જેથી કરીને કાંતિભાઈ અમૃતિયાએ કરેલા પ્રયાસોથી હવે માળીયા (મી)ના સીસીઆઈ કેન્દ્રમાં કપાસ ખરીદી માટેનો સમય બે દિવસથી વધારી ત્રણ દિવસ કરવામાં આવેલ છે જેથી સોમવારથી સપ્તામાં ત્રણ દિવસ માળીયાના ખેડૂતો તેમનો કપાસ ત્યાં વેચી શકશે.






Latest News