મોરબીમાં કારખાનાઓ બંધ હોય પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ
Breaking news
Morbi Today

રાજ્ય મંત્રી અને મોરબીના ધારાસભ્યના પ્રયાસોથી માળિયા (મી)ના CCI કેન્દ્રમાં સપ્તાહમાં ત્રણ દિવસ કપાસની ખરીદી કરાશે


SHARE













રાજ્ય મંત્રી અને મોરબીના ધારાસભ્યના પ્રયાસોથી માળિયા (મી)ના CCI કેન્દ્રમાં સપ્તાહમાં ત્રણ દિવસ કપાસની ખરીદી કરાશે

માળિયા (મી)ના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે અને માળીયાના સીસીઆઈ ખરીદ કેન્દ્ર ખાતે સપ્તાહમાં બે દિવસ જ ખરીદી થતી હતી જો કે રાજ્ય મંત્રી અને મોરબીના ધારાસભ્યના પ્રયાસોથી હવે સપ્તાહમાં ત્રણ દિવસ કપાસની ખરીદી કરવામાં આવશે.

માળીયા મિયાણા તાલુકાનાં સીસીઆઈ કેન્દ્રમાં બે જ દિવસ ખરીદી કરવામાં આવતી હતી જેથી કરીને ખેડૂતોને કપાસ વેચાણમાં વિલંબ થતો હતો જેથી કરીને કપાસ ખરીદી ઝડપથી કરવામાં આવે અને ખેડૂતોનો કપાસ સમયસર વેચાઈ જાય તે માટે માળિયા પંથકના ખેડૂતો અને તાલુકા ભાજપના આગેવાનો દ્વારા રાજ્ય મંત્રી અને મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને કપાસ ખરીદીના દિવસ વધારવા માટેની રજૂઆત કરી હતી જેથી કરીને કાંતિભાઈ અમૃતિયાએ કરેલા પ્રયાસોથી હવે માળીયા (મી)ના સીસીઆઈ કેન્દ્રમાં કપાસ ખરીદી માટેનો સમય બે દિવસથી વધારી ત્રણ દિવસ કરવામાં આવેલ છે જેથી સોમવારથી સપ્તામાં ત્રણ દિવસ માળીયાના ખેડૂતો તેમનો કપાસ ત્યાં વેચી શકશે.






Latest News