મોરબીમાં હોનારત-ભૂકંપમાં આધાર પુરાવા ગુમાવનાર મતદારો માટે યોગ્ય વ્યવસ્થા કરવા ઇલેકશન કમિશનરને રજૂઆત
SHARE
મોરબીમાં હોનારત-ભૂકંપમાં આધાર પુરાવા ગુમાવનાર મતદારો માટે યોગ્ય વ્યવસ્થા કરવા ઇલેકશન કમિશનરને રજૂઆત
મોરબી જીલ્લામાં આવેલ હોનારત અને ભૂકંપના લીધે ઘણા લોકોના જન્મના આધાર સહિતના આધાર પુરાવા નાશ પામેલ છે જેથી આવા મતદારનો નામ મતદાર યાદીમાં રહી ન જાય તેના માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી રાજ્યના મુખ્ય ઈલેકશન કમિશનરે રજૂઆત કરેલ છે
ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી અને મોરબીમાં રહેતા આપના આગેવાન કાંતિલાલ ડી. બાવરવાએ ગુજરાત ઈલેકશન કમીશનના મુખ્ય ઈલેકશન કમિશનરે રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લામાં ૧૯૭૯ માં આવેલ પુર તેમજ ૨૦૦૧ માં આવેલ ભૂકંપમાં ઘણા લોકોના પોતાના જન્મના તેમજ અન્ય પુરાવાઓ નાશ પામેલ છે. જેથી આવા લોકો પોતાનું નામ મતદાર યાદી માં દાખલ કરવામાં મુશકેલીનો સામનો કરી રહ્યા છે. તો આવા લોકો માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે અને તેઓના નામ મતદાર યાદીમાં દાખલ થઇ શકે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવાની રજૂઆત કરેલ છે.