મોરબી શહેર અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી ૨૮ જાન્યુઆરીએ યોજાશે
સુરતમાં બનાવવામાં આવેલ સૈનિક કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ
SHARE
સુરતમાં બનાવવામાં આવેલ સૈનિક કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ
સુરત ખાતે ધોરણ ૮ કે તેથી ઉપરમાં અભ્યાસ કરતા પૂર્વ સૈનિકો અને સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નિઓના સંતાનો માટે સૈનિક કુમાર છાત્રાલયમાં પ્રવેશ શરૂ કરવામાં આવેલ છે.
પૂર્વ સૈનિકો અને સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નિઓના સંતાનો કે જેઓ સુરત ખાતે આવેલ શૈક્ષણિક સંસ્થાઓમાં ધોરણ ૮ કે તેથી ઉપરના ધોરણમાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હોય તેમને રહેવા અને જમવા માટે અત્રેની કચેરી હસ્તકના ગૌરવા સેનાની ભવન ખાતે સૈનિક કુમાર છાત્રાલયનું નિર્માણ કરવામાં આવેલ છે. આ છાત્રાલયમાં એડમીશન મેળવવા ઇચ્છુક બાળકોના માતા-પિતાએ અત્રેની કચેરીનો રૂબરૂ સંપર્ક કરી એડમીશન ફોર્મ મેળવીને સત્વરે જમા કરાવવા માટે જણાવ્યુ છે અને વધુ વિગત માટે ટેલિફોન નંબર ૦૨૬૧-૨૯૧૩૮૨૦ તેમજ મોબાઈલ નંબર ૯૪૨૬૮૦૨૮૨૦ ઉપર સંપર્ક કરવા સુરત મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પૂનર્વસવાટ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.