મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં આગામી રવિવારે આહીર સમાજનો સરસ્વતી સન્માન સમારોહ યોજાશે


SHARE













મોરબીમાં આગામી રવિવારે આહીર સમાજનો સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા આગામી રવિવારના રોજ તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને સમાજના આગેવાનો તેમજ શ્રેષ્ઠીઓના હસ્તે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા દરવર્ષે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે દરમ્યાન આ વર્ષે આગામી તા.૨૬ ને રવિવારે બપોરે દોઢ વાગ્યે મહેન્દ્રસિંહજી ટાઉન હોલ ખાતે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથે સ્પર્ધાત્મક પરીક્ષા માટે માર્ગદર્શન આપવામાં આવશે મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સ્વ. શીતલબેન રાહુલભાઈ બાલાસરાના સ્મરણાર્થે અરવિંદભાઈ ચાવડાના સૌજન્યથી ૧૨ માં સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય રામબાઈ માંની જગ્યા-વવાણીયાના મહંત જગન્નાથ મહારાજના હસ્તે કરવામાં આવશે. અને આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મંત્રી ચંદુભાઈ હુંબલ, વક્તા તરીકે મહિલા અને બાળ વિકાસ વિભાગના જયશ્રીબેન જરુ અને સિનિયર એડવોકેટ વી. એચ. કનારા, મુખ્ય મહેમાન તરીકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ઇલાબેન ચૌહાણ, સ્ટેટ જી.એસ.ટી.ના આસિસ્ટન્ટ કમિશ્નર નિર્મલભાઈ ગોગરા, રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન સહિતના હાજર રહેશે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જ્ઞાતિજનોને મંત્રી મયુરભાઈ ગજીયા અને પ્રમુખ અજયભાઇ ડાંગર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.




Latest News