મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

મોરબી: માળીયાના જાજાસર ગામે દેવ સોલ્ટ આયોજીત નિઃશુલ્ક તબીબી કેમ્પનો ૧૩૦ થી વધુલોકોએ લાભ લીધો


SHARE





મોરબી: માળીયાના જાજાસર ગામે દેવ સોલ્ટ આયોજીત નિઃશુલ્ક તબીબી કેમ્પનો ૧૩૦ થી વધુલોકોએ લાભ લીધો

દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉન્ડેશન (દેવ સોલ્ટ) દ્વારા દેવ ગ્રુપ ઓફ કંપનીઝના સહયોગથી મોરબીના માળીયા તાલુકાના જાજાસર ગામની જાજાસર પ્રાથમિક શાળામાં નિઃશુલ્ક તબીબી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ શિબિરનું આયોજન આઇએમએ-મોરબીના નિષ્ણાત ડૉક્ટરોની ટીમના સહયોગથી કરવામાં આવ્યું હતું.તબીબી ટીમમાં ડૉ.મયુર કલારિયા (એમએસ, ઓર્થોપેડિક્સ), ડૉ.મિલન (એમડી-ફિઝિશિયન), ડૉ.કલ્પેશ રંગપરિયા (ચામડી રોગ વિશેષજ્ઞ), ડૉ.દર્શન નાયકપરા (બાળ રોગ વિશેષજ્ઞ), ડૉ.કેયુર જાવીચા (સ્ત્રીરોગ વિશેષજ્ઞ), ડૉ.દીપ ભાડજા, તથા ડૉ.વિમલ (એમએસ, જનરલ સર્જરી) નો સમાવેશ થતો હતો.જાજાસર તેમજ આસપાસના ગામોના ૧૩૦ કરતાં વધુ દર્દીઓએ આ તબીબી શિબિરનો લાભ લીધો હતો.

જ્યાં તેમને એક જ સ્થળે તબીબી સલાહ, નિદાન અને નિષ્ણાત માર્ગદર્શન ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું.આ પહેલ દ્વારા ગ્રામજનોને એક જ સ્થળે અનેક વિશેષજ્ઞ ડૉક્ટરોની સલાહ મેળવવાની મહત્વપૂર્ણ તક મળી હતી.જેના પરિણામે સરળ, સમયસર અને ગુણવત્તાપૂર્ણ આરોગ્ય સેવાઓ સુલભ બની હતી.આ તબીબી શિબિરનું સફળ આયોજન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેરના જનરલ મેનેજર ટોમિ એન્ટોની તેમજ આબેદિન જેડા, રમજાન જેડા, ડૉ.દિવ્યમ ધોકિયા, સામત સવસેટા, સાહિબ, તાજમમદ અને અન્ય સ્વયંસેવકોના સમર્પિત પ્રયત્નોથી શક્ય બન્યું હતું.કંપનીના અધિકારીઓએ કાર્યક્રમની સુચારૂ વ્યવસ્થા અને સહયોગ બદલ દેવગઢ ગામના સરપંચ કાનાભાઈ સવસેટા તથા શાળાના આચાર્ય હરદેવભાઈ કાનગડ પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. #morbi




Latest News