મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો મોરબી જિલ્લામાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે હજારો લોકોની સહી સાથે આવેદનપત્ર અપાયું મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલમાં યોજાયેલ શાકોત્સવનો ૧૫૦૦ હરિભક્તોએ લાભ લીધો


SHARE













મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલમાં યોજાયેલ શાકોત્સવનો ૧૫૦૦ હરિભક્તોએ લાભ લીધો

શહેરના સુવિખ્યાત અને શૈક્ષણિક, સામાજિક તેમજ ધાર્મિક પ્રવૃતિઓમાં કાયમી અગ્રેસર એવા મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાન દ્વારા દિવ્ય શાકોત્સવનું આયોજન ગત રવિવારના રોજ કરવામાં આવ્યું હતું. અને કાર્યક્ર્મ માટે ડો.ભાલોડીયા, બેચરભાઈ, વિનુભાઈ ભોરણીયા, અરુણભાઈ અને બિપીનભાઈ જેવા દાતાઓ તરફથી આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો આ શાકોત્સવમાં ૨૦૦ કિલો રીંગણાનું શાક, ૧૪૦ કિલો બાજરાના રોટલા, ૮૦ કિલો ખીચડી-કઢી ભંડારી ગોવિન્દ સ્વરૂપદાસજી સ્વામી અને નીલકંઠસ્વામીજીના હસ્તે બનાવવામાં આવેલ જેનો ૧૫૦૦ ઉપરાંત ભક્તોએ લાભ લીધેલ હતો રાજકોટ ગુરુકુલ ખાતે યોજાનાર અમૃત મહોત્સવના ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં જ્ઞાનજીવનદાસજી સ્વામી, શાસ્ત્રી હરિપ્રિયદાસજી સ્વામી, નિર્ગુણજીવનદાસજી સ્વામી ઇત્યાદિ સંતોએ ભગવાનની કથાવાર્તાનો પણ લાભ આપેલ હતો






Latest News