મોરબીમાં કારખાનાઓ બંધ હોય પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામ પાસે રહેતા પરિવારના એક વર્ષના બાળકનું મોત


SHARE













મોરબીના લાલપર ગામ પાસે રહેતા પરિવારના એક વર્ષના બાળકનું મોત

મોરબીના લાલપર ગામ પાસે બાપાસીતારામની મઢુલી નજીક રહેતા પરિવારના એક વર્ષના બાળકનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકાના લાલપર ગામે આવેલ બાપાસીતારામની મઢૂલી પાસે રહેતા શ્રેયાંશ ચૌહાણનો એક વર્ષના દીકરા રુદ્રાન ને મૃત હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં મૃતક બાળકના પરિવારે પોલીસને જણાવ્યું હતું કે તેમના દીકરાને છેલ્લા આઠ એક દિવસથી શરદી, ઉધરસ અને કફ હતો દરમિયાન તેનું ઘરે મોત નીપજ્યું હતું જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના જાંબુડીયા ગામે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં મહેશ વીરજીભાઈ ખરા (40) અને ચંદ્રકાંત મહેશભાઈ ખરા (20) નામના બે વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી તેને  સારવાર માટે લઈને આવ્યા હતા અને બને ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

વૃદ્ધ સારવારમાં

મોરબીમાં નાની કેનાલ પાસે આવેલ ઓમ પાર્ક સોસાયટીમાં જાનકી એપાર્ટમેન્ટ ખાતે રહેતા બાબુભાઈ રામજીભાઈ વીડજા (64) બાઈક લઈને લીલાપર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલાકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ વૃદ્ધને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીએ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

યુવાન દાઝી જતાં સારવારમાં

મોરબીના લીલાપર રોડ ઉપર આદિત્ય ઈન્ડસ્ટ્રીઝ નામના યુનિટમાં કામગીરી દરમિયાન રોશનલાલ રામચંદ્ર યાદવ (28) નામનો યુવાન ગંભીર રીતે દાજી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News