મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામ પાસે રહેતા પરિવારના એક વર્ષના બાળકનું મોત


SHARE







મોરબીના લાલપર ગામ પાસે રહેતા પરિવારના એક વર્ષના બાળકનું મોત

મોરબીના લાલપર ગામ પાસે બાપાસીતારામની મઢુલી નજીક રહેતા પરિવારના એક વર્ષના બાળકનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકાના લાલપર ગામે આવેલ બાપાસીતારામની મઢૂલી પાસે રહેતા શ્રેયાંશ ચૌહાણનો એક વર્ષના દીકરા રુદ્રાન ને મૃત હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં મૃતક બાળકના પરિવારે પોલીસને જણાવ્યું હતું કે તેમના દીકરાને છેલ્લા આઠ એક દિવસથી શરદી, ઉધરસ અને કફ હતો દરમિયાન તેનું ઘરે મોત નીપજ્યું હતું જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના જાંબુડીયા ગામે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં મહેશ વીરજીભાઈ ખરા (40) અને ચંદ્રકાંત મહેશભાઈ ખરા (20) નામના બે વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી તેને  સારવાર માટે લઈને આવ્યા હતા અને બને ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

વૃદ્ધ સારવારમાં

મોરબીમાં નાની કેનાલ પાસે આવેલ ઓમ પાર્ક સોસાયટીમાં જાનકી એપાર્ટમેન્ટ ખાતે રહેતા બાબુભાઈ રામજીભાઈ વીડજા (64) બાઈક લઈને લીલાપર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલાકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ વૃદ્ધને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીએ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

યુવાન દાઝી જતાં સારવારમાં

મોરબીના લીલાપર રોડ ઉપર આદિત્ય ઈન્ડસ્ટ્રીઝ નામના યુનિટમાં કામગીરી દરમિયાન રોશનલાલ રામચંદ્ર યાદવ (28) નામનો યુવાન ગંભીર રીતે દાજી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News