મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે


SHARE







મોરબીમાં ફ્લેટ વેચાણ માટેની જાહેરાત કરવામાં આવી હતી અને તે ફ્લેટ ઉપર મોટી લોન બેંકમાંથી લીધેલ હતી છતાં વૃદ્ધને તેની જાણ કરવામાં આવી ન હતી અને ખોટો સાટાખત કરી આપવામાં આવ્યો હતો અને તેની અવેજમાં મોટી રકમ વૃદ્ધ પાસેથી મેળવી લેવામાં આવી હતી આમ વૃદ્ધ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવેલ હોય વૃદ્ધે ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે એક આરોપીને પકડીને રિમાન્ડ ઉપર લીધેલ હતો અને રિમાન્ડ પૂરા થતાં તે આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

 

મોરબીમાં રહેતા સુનિલકુમાર કુમુદચંદ્ર દોશી (68)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પાર્થભાઈ મુકેશભાઈ મહેતા, મુકેશભાઈ અંબાપ્રસાદ મહેતા અને હીનાબેન મુકેશભાઈ મહેતા રહે. બધા આશુતોષ હાઈટસ બ્લોક નં. 101 કાયાજી પ્લોટ સનાળા રોડ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કે, પાર્થભાઈ મહેતાએ પોતાના મોબાઈલ ફોન ઉપરથી ઓએલએક્સમાં ફ્લેટ વેચવા માટેની જાહેરાત મૂકી હતી જેથી ફરિયાદી તથા સાહેદો ફ્લેટ જોવા અને લેવા માટે ગયા હતા ત્યારે તેઓને વિશ્વાસમાં લઈને હીનાબેન મહેતાના નામના ફલેટ ઉપર બેંકમાં મોટી લોન લીધેલી હતી જે રેકોર્ડ ઉપર હોવા છતાં તે છુપાવ્યું હતું અને ફરિયાદીને ફ્લેટ વેચાણનો ખોટો સાટાખત કરી આપ્યો હતો. જેના અવાજમાં મોટી રકમ મેળવી લેવામાં આવી હતી તેમજ સાહેદ સાથે અગાઉથી કાવતરું રચીને વિશ્વાસમાં લઈને વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરવામાં આવેલ છે અને બનાવટી સાટાખત કરી આપતા હોવાનું પોતે જાણતા હોવા છતાં પણ ખરા સાટાખત તરીકે તેનો ઉપયોગ કર્યો હતો અને ફરિયાદી તથા સાહેદોની સાથે વિશ્વાસઘાત કર્યો હતો જેથી વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે દંપતી અને તેના દીકરાની સામે ગુનો નોંધ્યો હતો અને તે પૈકી આરોપી પાર્થભાઈ મુકેશભાઈ મહેતાની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂને પોલીસે ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીને ફરી કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે. જો કે, આરોપીએ વિશ્વાસઘાત કરીને ફરિયાદી પાસેથી જે રૂપિયા મેળવ્યા હતા તે હરવા ફરવામાં અને હપ્તા ભરવામાં વપરાઇ ગયા હોવાનું રટણ પકડાયેલ આરોપી દ્વારા પોલીસ સમક્ષ કરવામાં આવ્યા હતું. તેવી માહિતી તપાસનીસ અધિકારી પાસેથી જાણવા મળેલ છે.






Latest News