મોરબીમાં આવેલ માધાપરવાડી કન્યા શાળામાં ફ્રિ નિદાન-સારવાર કેમ્પ યોજાયો મોરબીમાં ઠંડીમાં 36 ઘર વિહોણા લોકોને આશ્રયસ્થાન પૂરું પડતી મનપા મોરબીના મુમુક્ષુ વિધિબેને 28 વર્ષે જૈન દીક્ષા લીધી: લીંબડીમાં સંયમનો માર્ગ અપનાવી આત્મકલ્યાણનો સંદેશ આપ્યો પ્રેરણાદાઈ નિર્ણય: મોરબીમાં વૃદ્ધનું રાજકોટ ખાતે સારવારમાં બ્રેનડેડ થતાં બે કિડની-લીવરનું આંગદાન કરાયું મોરબી જિલ્લામાં ખાનગી વીજ કંપની દ્વારા વળતરની સ્પષ્ટતા વગર થતું કામ તાત્કાલિક રોકવાની ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની માંગ રવિ સીઝન ૨૦૨૬-૨૭: રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી રૂ.૨૫૮૫ ના ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરશે વિશ્વ કેન્સર દિવસ: કેન્સર સામે રક્ષણ મેળવવા યોગ, આયુર્વેદ અને સાત્વિક આહારનો સમન્વય જરૂરી: ૪ ફેબ્રુઆરીએ સવારે ૭ કલાકે ડિજિટલ માધ્યમથી જોડાવા મોરબીવાસીઓને આહવાન મોરબીના ટંકારા ખાતે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની ખાનગી વીજ કંપનીઓની દાદાગીરી સામે સભા: ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

તેરા તુજકો અર્પણ: મોરબીમાં પોલીસે સોનાના ૪ બિસ્કીટ, ચેન, પેન્ડલ તેમજ ૨૨ મોબાઈલ સહિત ૬૨.૬૩ લાખનો મુદામાલ મૂળ માલિકને પરત કર્યો


SHARE











તેરા તુજકો અર્પણ: મોરબીમાં પોલીસે સોનાના ૪ બિસ્કીટ, ચેન, પેન્ડલ તેમજ ૨૨ મોબાઈલ સહિત ૬૨.૬૩ લાખનો મુદામાલ મૂળ માલિકને પરત કર્યો

મોરબી એ ડિવિઝન પોલીસે “CEIR” પોર્ટલના ઉપયોગથી મોરબીમાંથી લોકોના ખોવાયેલા ૨૨ મોબાઈલ ફોન જેની કિંમત ૪,૧૩,૦૮૯ તેમજ એક વ્યક્તિનું એક સોનાનું પેન્ડલ જેની કિંમત ૬,૦૦,૦૦૦ તથા બળજબરી પુર્વક કઢાવી લિધેલ સોનાના બીસ્કીટ નંગ ૪ તથા સોનાનો ચેન આમ કુલ મળી ૬૨,૬૩૦૮૯ નો મુદામાલ અરજદારોને પોલીસ સ્ટેશને બોલાવીને પરત આપવામાં આવ્યો હતો.

મોરબી જીલ્લા એસપી મુકેશકુમાર પટેલ અને ડીવાયએસપી જે.એમ.આલ ના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પીઆઈ આર.એસ.પટેલ અને તેઓની ટીમ કામ કરી રહી છે તેવામાં મોરબીના લોકોના ખોવાયેલ કે ચોરાયેલા મોબાઈલ માટરજી લઈને તપાસ કરવામાં આવી રહી હતી. દરમ્યાન મોરબી એ ડિવિઝન પોલીસે “CEIR” પોર્ટલના ઉપયોગથી લોકોના ખોવાયેલા ૨૨ મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા અને ૪,૧૩,૦૮૯ ની કિંમતના મોબાઇલ લોકોને એ ડિવિઝન પોલીસ સ્ટેશને બોલાવીને પરત આપવામાં આવેલ છે.

આ ઉપરના હની ટ્રેપમાં ફસાયેલા ખેડૂત પાસેથી સોનાના ૪ બીસ્કીટ તથા સોનાનો ૧ ચેન પડાવી લીધેલ હતો જેને પોલીસે રિકવર કરેલ હતો તે મુદામાલ ફરિયાદીને પરત આપવામાં આવેલ છે તેમજ સોનાનું એક પેન્ડલ ખોવાયેલ હતું જેને પણ શોધી કાઢવામાં આવેલ હતું. અને જુદાજુદા આસામીઓનો કુલ મળીને ૬૨,૬૩,૦૮૯ નો મુદામાલ પરત આપવામાં આવેલ છે. આ કામગીરી પીઆઇ આર.એસ. પટેલની સૂચના મુજબ પીએસઆઈ જે.સી.ગોહિલ, સવજીભાઇ દાફડા, કિશોરભાઈ મિયાત્રા, વિજયદાન ગઢવી, હિતેષભાઈ ચાવડા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ જાડેજા, રવીભાઈ ચૌધરી, જયદિપભાઇ દેવસુર તથા અશ્વીનસિંહ સુર નાઓએ કરેલ છે.






Latest News