હળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ અને હરબટીયાળી પ્રાથમિક શાળામાં ચકલી ઘર અને પાણીના કુંડા નું નિશુલ્ક વિતરણ કરાયુ મોરબીમાં 250 થી વધુ મકાનોનું ડિમોલેશન તાત્કાલિક રોકવા કોંગ્રેસ-સ્થાનિક લોકોની માંગ મોરબી મહાનગરપાલિકાના ફાયર કાફલામાં મિની ફાયર ટેન્ડરનો ઉમેરો થયો ઐતિહાસિક વિરાસત: મોરબીની એલ.ઈ. કોલેજ પાસે ₹81.30 લાખના ખર્ચે ગાર્ડનનું નિર્માણ થશે મોરબીના શનાળા ગામે મુકાયેલા નવા સ્પીડ બ્રેકરના વિરોધમાં ગ્રામજનોએ કર્યો ચક્કાજામ મોરબી મહાનગરપાલિકા દ્વારા સેવાસેતુ 2.0 કાર્યક્રમ યોજાયો: અરજદારોના પ્રશ્નોનો સ્થળ ઉપર નિકાલ કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા નવી એનિમલ હોસ્ટેલ બનાવાનું આયોજન મોરબીમાં જુદીજુદી જગ્યાએથી પાણીપુરીનું પાણી અને જુદાજુદા શાકના નમૂના મનપાના ફૂડ વિભાગે લીધા
Breaking news
Morbi Today

મોરબીમાં માલ સમાન જપ્ત કરવા-મિલકત સીલ કરવા કરતાં વેરાની વસૂલાતમાં ધ્યાન કેન્દ્રિત કરો: ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા


SHARE











મોરબીમાં માલ સમાન જપ્ત કરવા-મિલકત સીલ કરવા કરતાં વેરાની વસૂલાતમાં ધ્યાન કેન્દ્રિત કરો: ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા

મોરબી મહાપાલિકામાં કમિશ્નરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં ટંકારાના ધારાસભ્ય હાજર રહ્યા હતા એન તેઓની હાજરીમાં શહેરમાં ચાલતા અને આગામી સમયમાં જે જુદાજુદા વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે તેની ચર્ચા કરવામાં આવી હતી તેમજ છેલ્લા દિવસોમાં વેપારીઓનો માલ જપ્ત કરવા માટે અને જુદાજુદા વિસ્તારોમાં ગેરકાયદે બંધકામોને રોકવા માટે મિકલતોને સીલ કરવા માટે જે કામગીરી કરવામાં આવી હતી તેની પણ ચર્ચા કરવામાં આવી હતી.

મોરબી મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા હાજર રહ્યા હતા અને આ બેઠકમાં વિકાસ કામોની ચર્ચા કરવામાં આવી હતી અને મહાપાલિકાની ટિમ દ્વારા વેરાની વસુલાત માટે જે કામગીરી કરવામાં આવે છે તેની સામે ધારાસભ્યએ અસંતોષ વ્યક્ત કર્યો હતો અને ખાસ કરીને છેલ્લા દિવસોમાં શહેરના મુખ્યમાર્ગ ઉપર વેપારીઓએ તેની દુકાનની બહારના ભાગમાં જે માલ સમાનના પથારા કર્યા હતા તે માલને મનપાની ટીમે જપ્ત કર્યો હતો તે બાબતની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી તેમજ શહેરી વિસ્તારમાં જે મંજૂરી વગરના ગેરકાયદે બાંધકામ ચાલી રહ્યા છે તે ગેરકાયદે બંધકામોને રોકવા માટે મનપાની ટિમ મિકલતોને સીલ કરી રહી છે તે કામગીરીનો ધારાસભ્યએ વિરોધ કર્યો હતો. અને કહ્યું હતું કે, 31/12/24 પહેલા ગ્રામ્ય વિસ્તારમાંથી જે આસામીઓએ બાંધકામ મંજૂરી મેળવી હોય તેઓની મિકલત સીલ કરવામાં આવે તે યોગ્ય નથી. ખાસ કરીને શહેરમાં સમાવેશ કરવામાં આવેલ ગામડાઓમાં મંજુર કરવામાં આવેલા નાણાપંચની ગ્રાન્ટના કામો વહેલી તકે કરાવવામાં આવે અને વેરા વસુલાત કામગીરીમાં અધિકારી અને કર્મચારી દ્વારા વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તેવું જણાવ્યુ હતું.






Latest News