મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

મોરબીમાં માલ સમાન જપ્ત કરવા-મિલકત સીલ કરવા કરતાં વેરાની વસૂલાતમાં ધ્યાન કેન્દ્રિત કરો: ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા


SHARE





મોરબીમાં માલ સમાન જપ્ત કરવા-મિલકત સીલ કરવા કરતાં વેરાની વસૂલાતમાં ધ્યાન કેન્દ્રિત કરો: ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા

મોરબી મહાપાલિકામાં કમિશ્નરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં ટંકારાના ધારાસભ્ય હાજર રહ્યા હતા એન તેઓની હાજરીમાં શહેરમાં ચાલતા અને આગામી સમયમાં જે જુદાજુદા વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે તેની ચર્ચા કરવામાં આવી હતી તેમજ છેલ્લા દિવસોમાં વેપારીઓનો માલ જપ્ત કરવા માટે અને જુદાજુદા વિસ્તારોમાં ગેરકાયદે બંધકામોને રોકવા માટે મિકલતોને સીલ કરવા માટે જે કામગીરી કરવામાં આવી હતી તેની પણ ચર્ચા કરવામાં આવી હતી.

મોરબી મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા હાજર રહ્યા હતા અને આ બેઠકમાં વિકાસ કામોની ચર્ચા કરવામાં આવી હતી અને મહાપાલિકાની ટિમ દ્વારા વેરાની વસુલાત માટે જે કામગીરી કરવામાં આવે છે તેની સામે ધારાસભ્યએ અસંતોષ વ્યક્ત કર્યો હતો અને ખાસ કરીને છેલ્લા દિવસોમાં શહેરના મુખ્યમાર્ગ ઉપર વેપારીઓએ તેની દુકાનની બહારના ભાગમાં જે માલ સમાનના પથારા કર્યા હતા તે માલને મનપાની ટીમે જપ્ત કર્યો હતો તે બાબતની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી તેમજ શહેરી વિસ્તારમાં જે મંજૂરી વગરના ગેરકાયદે બાંધકામ ચાલી રહ્યા છે તે ગેરકાયદે બંધકામોને રોકવા માટે મનપાની ટિમ મિકલતોને સીલ કરી રહી છે તે કામગીરીનો ધારાસભ્યએ વિરોધ કર્યો હતો. અને કહ્યું હતું કે, 31/12/24 પહેલા ગ્રામ્ય વિસ્તારમાંથી જે આસામીઓએ બાંધકામ મંજૂરી મેળવી હોય તેઓની મિકલત સીલ કરવામાં આવે તે યોગ્ય નથી. ખાસ કરીને શહેરમાં સમાવેશ કરવામાં આવેલ ગામડાઓમાં મંજુર કરવામાં આવેલા નાણાપંચની ગ્રાન્ટના કામો વહેલી તકે કરાવવામાં આવે અને વેરા વસુલાત કામગીરીમાં અધિકારી અને કર્મચારી દ્વારા વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તેવું જણાવ્યુ હતું.




Latest News