માળિયાના મોટાભેલા ગામે છ મહિના પહેલા નોળિયો કરડેલ જેની અસર થતા વૃદ્ધાનું મોત ?!
માળીયા (મી)ના જુના ઘાંટીલા ગામે પટેલ સમાજવાડીનું લોકાર્પણ-દાતાઓનો સન્માન સમારોહ યોજાયો
SHARE
માળીયા (મી)ના જુના ઘાંટીલા ગામે પટેલ સમાજવાડીનું લોકાર્પણ-દાતાઓનો સન્માન સમારોહ યોજાયો
માળીયા મિયાણાં તાલુકાનાં જૂના ઘાંટીલા ગ્રામ પરિવાર અને શ્રી જૂના ઘાંટીલા સોશ્યલ ગ્રુપ મોરબી દ્વારા આયોજિત ભવ્ય 'શ્રી ઉમિયા માતાજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ' અને 'પટેલ સમાજવાડી લોકાર્પણ' કાર્યક્રમ યોજાયો હતો. આ સમગ્ર કાર્યક્રમ ઓરેવા ગ્રુપના જયસુખભાઈ ઓધવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. ત્યારે પુર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા પણ હાજર રહ્યા હતા.
ત્રિ-દિવસીય આ મહોત્સવમાં ધાર્મિક વિધિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં 30 જાન્યુઆરીના રોજ દેહશુદ્ધિ યજ્ઞ અને હેમાદ્રી પ્રયોગ સાથે કરવામાં આવી હતી. જેમાં બીજા દિવસે ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. અને રાત્રિના સમયે યોજાયેલ ભજન સંધ્યામાં કલાકારોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. અને છેલ્લા દિવસે સવારે માતાજીના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા હોમ, મહાઅભિષેક અને મહાઆરતી યોજાઇ હતી ત્યાર બાદ દાતાઓનું સન્માન કરાયું હતું અને સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા અને નવનિર્મિત સમાજવાડીના લોકાર્પણને બિરદાવ્યું હતું. આ મહોત્સવના પૂર્ણાહુતિ પ્રસંગે સાંજે મહા પ્રસાદ યોજાયો હતો જેમાં જૂના ઘાંટીલા ગામના તમામ સમાજના પરિવારોએ સાથે મળીને પ્રસાદ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી જૂના ઘાંટીલા સમસ્ત પાટીદાર પરિવાર અને સોશ્યલ ગ્રુપના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.









