ઈરાન-ઇઝરાયલના યુદ્ધની અસર: મોરબીમાં પ્રેપેન ગેસની સપ્લાઈની ચેન ખોરાવાઈ તેવા સંકેત, સિરામિક કારખાના બે દિવસ પછી બંધ થાય તેવી શક્યતા ભારતભરમાં અનોખા લગ્ન: મોરબીના વાડી વિસ્તારમાં ધૂળેટીના દિવસે ધામધુમથી શ્રદ્ધાપૂર્વક હોલિકાના શામબાપા સાથે લગ્ન કરાવતો સતવારા સમાજ મોરબી નજીક કારખાનામાં ચાલતા ચાલતા પડી જવાથી યુવાનનું મોત મોરબી જલારામ ધામ ખાતે ધૂળેટીના દિવસે પણ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ચાલુ રહેશે મોરબીમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ-રાધે કૃષ્ણ પરિવાર દ્વારા ભાગવત કથા અને સમૂહ રાંદલનું આયોજન મોરબીના લક્ષ્મીનગર પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત: વાંકાનેર નજીક કારખાનામાં યુવાને જીવન ટુકાવ્યું માળીયા (મી) માં નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 3400 લીટર આથો અને 100 લીટર દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ મોરબીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપીને ધમકી, ખંડણી અને લૂંટના પ્રયાસના ગુનામાં પકડાયેલ વિશાલ સેજપાલ સહિતના બે આરોપી જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીના બાયપાસ રોડે ખાડા, સ્ટ્રીટ લાઇટ અને ગટરના પ્રશ્નો ઉલેકવા માટે મુખાયમંત્રીને કરી રજૂઆત  


SHARE













મોરબીના બાયપાસ રોડે ખાડા, સ્ટ્રીટ લાઇટ અને ગટરના પ્રશ્નો ઉલેકવા માટે મુખાયમંત્રીને કરી રજૂઆત  

મોરબીના બાયપાસ રોડ ઉપર ખાડાનું સામ્રાજ્ય છે અને સ્ટ્રીટ લાઇટો પણ બંધ છે આટલું જ નહીં ત્યાં ગટર ઉભરવાની પણ સમસ્યા છે તો પણ મનપા દ્વારા કામ કરવામાં આવી રહ્યું નથી જેથી કરીને આપના મોરબીમાં રહેતા પ્રદેશન આગેવાન દ્વારા મુખ્યમંત્રીને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે. અને જો રજૂઆતને ધ્યાને લઈને કામ નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.  

આમ આદમી પાર્ટીના પ્રદેશના જોઈન્ટ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે, મોરબીનો બાયપાસ રોડ કે જે નેશનલ હાઇવેથી શનાળા પાસે રાજકોટ રોડને જોડે છે. તે ખુબજ ખરાબ સ્થિતિમા છે. રોડ પર મસમોટા ખાડાઓ પડેલ છે. જાણે કે રોડમા ખાડા નહી પણ ખાડામાં રોડ હોય તેવી સ્થિતિ છે. અને ગટરના તૂટેલા ઢાંકણા અને ગટર ઉભરાવાના બનાવો તો દરરોજ બનતા હોય છે. લોકો જાણે કે નર્કમાથી પસાર થતા હોય તેવું અનુભવી રહ્યા છે, અને ત્યાં ટ્રાફિકનો પણ પ્રશ્ન રહે છે. અને થોડા સમય પહેલા ફિટ કરવામાં આવેલ સ્ટ્રીટ લાઈટો ચાર દિવસમાં જ બંધ થઈ ગઈ છે. અને તેના માટે રજૂઆત કરીએ તો ચલચલાણું જેવા જવાબો આપવામાં આવેલ છે. જેથી બાયપાસ રોડ ઉપર ખાડા સહિતની સંસ્યાઓમાંથી લોકોને મુક્તિ અપાવવામાં આવે તે જરૂરી છે અને જો કામ નહીં કરવામાં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમો  કરવામાં આવશે.






Latest News