વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબીના બાયપાસ રોડે ખાડા, સ્ટ્રીટ લાઇટ અને ગટરના પ્રશ્નો ઉલેકવા માટે મુખાયમંત્રીને કરી રજૂઆત  


SHARE













મોરબીના બાયપાસ રોડે ખાડા, સ્ટ્રીટ લાઇટ અને ગટરના પ્રશ્નો ઉલેકવા માટે મુખાયમંત્રીને કરી રજૂઆત  

મોરબીના બાયપાસ રોડ ઉપર ખાડાનું સામ્રાજ્ય છે અને સ્ટ્રીટ લાઇટો પણ બંધ છે આટલું જ નહીં ત્યાં ગટર ઉભરવાની પણ સમસ્યા છે તો પણ મનપા દ્વારા કામ કરવામાં આવી રહ્યું નથી જેથી કરીને આપના મોરબીમાં રહેતા પ્રદેશન આગેવાન દ્વારા મુખ્યમંત્રીને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે. અને જો રજૂઆતને ધ્યાને લઈને કામ નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.  

આમ આદમી પાર્ટીના પ્રદેશના જોઈન્ટ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે, મોરબીનો બાયપાસ રોડ કે જે નેશનલ હાઇવેથી શનાળા પાસે રાજકોટ રોડને જોડે છે. તે ખુબજ ખરાબ સ્થિતિમા છે. રોડ પર મસમોટા ખાડાઓ પડેલ છે. જાણે કે રોડમા ખાડા નહી પણ ખાડામાં રોડ હોય તેવી સ્થિતિ છે. અને ગટરના તૂટેલા ઢાંકણા અને ગટર ઉભરાવાના બનાવો તો દરરોજ બનતા હોય છે. લોકો જાણે કે નર્કમાથી પસાર થતા હોય તેવું અનુભવી રહ્યા છે, અને ત્યાં ટ્રાફિકનો પણ પ્રશ્ન રહે છે. અને થોડા સમય પહેલા ફિટ કરવામાં આવેલ સ્ટ્રીટ લાઈટો ચાર દિવસમાં જ બંધ થઈ ગઈ છે. અને તેના માટે રજૂઆત કરીએ તો ચલચલાણું જેવા જવાબો આપવામાં આવેલ છે. જેથી બાયપાસ રોડ ઉપર ખાડા સહિતની સંસ્યાઓમાંથી લોકોને મુક્તિ અપાવવામાં આવે તે જરૂરી છે અને જો કામ નહીં કરવામાં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમો  કરવામાં આવશે.






Latest News