ઈરાન-ઇઝરાયલના યુદ્ધની અસર: મોરબીમાં પ્રેપેન ગેસની સપ્લાઈની ચેન ખોરાવાઈ તેવા સંકેત, સિરામિક કારખાના બે દિવસ પછી બંધ થાય તેવી શક્યતા ભારતભરમાં અનોખા લગ્ન: મોરબીના વાડી વિસ્તારમાં ધૂળેટીના દિવસે ધામધુમથી શ્રદ્ધાપૂર્વક હોલિકાના શામબાપા સાથે લગ્ન કરાવતો સતવારા સમાજ મોરબી નજીક કારખાનામાં ચાલતા ચાલતા પડી જવાથી યુવાનનું મોત મોરબી જલારામ ધામ ખાતે ધૂળેટીના દિવસે પણ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ચાલુ રહેશે મોરબીમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ-રાધે કૃષ્ણ પરિવાર દ્વારા ભાગવત કથા અને સમૂહ રાંદલનું આયોજન મોરબીના લક્ષ્મીનગર પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત: વાંકાનેર નજીક કારખાનામાં યુવાને જીવન ટુકાવ્યું માળીયા (મી) માં નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 3400 લીટર આથો અને 100 લીટર દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ મોરબીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપીને ધમકી, ખંડણી અને લૂંટના પ્રયાસના ગુનામાં પકડાયેલ વિશાલ સેજપાલ સહિતના બે આરોપી જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ


SHARE













મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ

સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તા.૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ બપોરે ૨ થી ૫ દરમિયાન મોરબીના શ્રી જલારામ મંદિર અયોધ્યાપુરી રોડ ખાતે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ વિભાગોના નિષ્ણાત ડોકટરો દ્વારા નિઃશુલ્ક તપાસ અને માર્ગદર્શન આપવામાં આવશે તેમજ ફ્રી બ્લડ સુગર ચેકઅપની સુવિધા ઉપલબ્ધ રહેશે.મોરબી ખાતે સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે આરોગ્યલક્ષી સેવાકીય કાર્યક્રમ તરીકે ફ્રી નિદાન અને દવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પ તા. ૨૫ ફેબ્રુઆરીના રોજ બપોરે ૨ થી ૫ વાગ્યા સુધી શ્રી જલારામ મંદિર અયોધ્યાપુરી રોડ મોરબી ખાતે યોજાશે.

કેમ્પમાં વિવિધ હોસ્પિટલ અને ક્લિનિક સાથે સંકળાયેલા અનુભવી તબીબો દ્વારા સેવા આપવામાં આવશે. જેમાં ડો.ભૌમિક સરડવા (એથિકસ હોસ્પિટલ), ડો.ઉમેશ ગોધવીયા (પલ્સ હોસ્પિટલ), ડો.મેહુલ પનારા (વિઝન આંખની હોસ્પિટલ), ડો.ધીરેન પટેલ (શ્રી હરિકૃષ્ણ ડેન્ટલ કેર), ડો.અક્ષય જાકાસણીયા (વાત્સલ્ય ચાઈલ્ડ હોસ્પિટલ-બાળરોગ), ડો.ભાવેશ શેરસિયા (ડિવાઈન સ્કીન પંચકર્મા ક્લિનિક- સ્કીન), ડો.નિશિથ દઢાણીયા (આરાધના હોસ્પિટલ- ગાયનેક), ડો.વિમલ દેત્રોજા (લેપ્રોકેર-સર્જરી) તેમજ ડો.યશ કડિવાર (વેલકેર ઓર્થોપેડિક હોસ્પિટલ- ઓર્થો. વિભાગ) પોતાની નિષ્ણાત સેવા આપશે. આ ઉપરાંત ડીઆર પટેલ પેથોલોજી લેબોરેટરી દ્વારા નિઃશુલ્ક બ્લડ સુગર ચેકઅપ પણ કરવામાં આવશે. આયોજકોએ વધુમાં વધુ લોકોને આ સેવા કેમ્પનો લાભ લેવા અનુરોધ કર્યો છે.વધુ માહિતી માટે યોગેશ રંગપડીયા(પ્રેસ રિપોર્ટર)  ના મો.૯૦૨૩૨ ૪૭૭૪૭ નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.






Latest News