મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત: સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં જાત જલાવીને આધેડ મહિલાએ કર્યો આપઘાત મોરબીમાં બોલેરો પાછળથી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇવી કારમાં નુકશાન મોરબી તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત: હળવદના મિયાણી નજીક કેનાલના પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ


SHARE













મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ

સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તા.૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ બપોરે ૨ થી ૫ દરમિયાન મોરબીના શ્રી જલારામ મંદિર અયોધ્યાપુરી રોડ ખાતે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ વિભાગોના નિષ્ણાત ડોકટરો દ્વારા નિઃશુલ્ક તપાસ અને માર્ગદર્શન આપવામાં આવશે તેમજ ફ્રી બ્લડ સુગર ચેકઅપની સુવિધા ઉપલબ્ધ રહેશે.મોરબી ખાતે સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે આરોગ્યલક્ષી સેવાકીય કાર્યક્રમ તરીકે ફ્રી નિદાન અને દવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પ તા. ૨૫ ફેબ્રુઆરીના રોજ બપોરે ૨ થી ૫ વાગ્યા સુધી શ્રી જલારામ મંદિર અયોધ્યાપુરી રોડ મોરબી ખાતે યોજાશે.

કેમ્પમાં વિવિધ હોસ્પિટલ અને ક્લિનિક સાથે સંકળાયેલા અનુભવી તબીબો દ્વારા સેવા આપવામાં આવશે. જેમાં ડો.ભૌમિક સરડવા (એથિકસ હોસ્પિટલ), ડો.ઉમેશ ગોધવીયા (પલ્સ હોસ્પિટલ), ડો.મેહુલ પનારા (વિઝન આંખની હોસ્પિટલ), ડો.ધીરેન પટેલ (શ્રી હરિકૃષ્ણ ડેન્ટલ કેર), ડો.અક્ષય જાકાસણીયા (વાત્સલ્ય ચાઈલ્ડ હોસ્પિટલ-બાળરોગ), ડો.ભાવેશ શેરસિયા (ડિવાઈન સ્કીન પંચકર્મા ક્લિનિક- સ્કીન), ડો.નિશિથ દઢાણીયા (આરાધના હોસ્પિટલ- ગાયનેક), ડો.વિમલ દેત્રોજા (લેપ્રોકેર-સર્જરી) તેમજ ડો.યશ કડિવાર (વેલકેર ઓર્થોપેડિક હોસ્પિટલ- ઓર્થો. વિભાગ) પોતાની નિષ્ણાત સેવા આપશે. આ ઉપરાંત ડીઆર પટેલ પેથોલોજી લેબોરેટરી દ્વારા નિઃશુલ્ક બ્લડ સુગર ચેકઅપ પણ કરવામાં આવશે. આયોજકોએ વધુમાં વધુ લોકોને આ સેવા કેમ્પનો લાભ લેવા અનુરોધ કર્યો છે.વધુ માહિતી માટે યોગેશ રંગપડીયા(પ્રેસ રિપોર્ટર)  ના મો.૯૦૨૩૨ ૪૭૭૪૭ નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.






Latest News