મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ 24 હોટલ, રેસ્ટોરન્ટ, બેકરીમાં કર્યુ ચોકિંગ: અખાદ્ય કલર-વાસી ખોરાકનો કર્યો નાશ, 16 વેપારીઓને નોટીસ મોરબી નજીકના વીરપર પાસે આવેલ નવયુગ સંકુલમાં નેશનલ સાયન્સ ડેની ઉજવણી કચ્છના સરહદીય વિસ્તાર કુરન મધ્યે સાંસદ દ્વારા રંગોત્સવની ઉજવણી કરાઇ મોરબીમાં મુસ્લિમ યુવાનની નિર્મમ હત્યા કરનારા આરોપીઓનું સરઘસ કાઢીને આકરી સજાની સમાજની માંગ ભુજ એરપોર્ટ ખાતે સંસદ વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને એરપોર્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઈ ઇઝરાયેલ-ઈરાન યુદ્ધની અસર: મોરબીથી બિઝનેસ કે ફરવા માટે ગયેલા 43 જેટલા લોકો હાલમાં દુબઈમાં ફસાયા મોરબીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપતો વિશાલ સેજપાલ પત્રકાર નથી: ભોગ બનેલ લોકોને પોલીસનો સંપર્ક કરવા ડીવાયએસપીની અપીલ મોરબીના લાલપર અને ગુંગણ ગામેથી સગીરાઓના અપહરણ કરનાર ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં સરકારી કચેરીઓ અને પાલિકાઓના બાકી વીજ બિલની ઉઘરાણી માટે પહેલા વીજ કનેક્શન કાપો પછી અન્ય જગ્યાએ કાર્યવાહી કરો: મહેશભાઈ રાજકોટિયા


SHARE













મોરબી જિલ્લામાં સરકારી કચેરીઓ અને પાલિકાઓના બાકી વીજ બિલની ઉઘરાણી માટે પહેલા વીજ કનેક્શન કાપો પછી અન્ય જગ્યાએ કાર્યવાહી કરો: મહેશભાઈ રાજકોટિયા

સામાન્ય જનતા પર વિજ બિલની કકક વસૂલાત અને સરકારી કચેરીઓ નગરપાલિકાના બાકી લેણાં બાબતે અસરકારક કામગીરી કરવામાં આવતી નથી ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસના આગેવાન દ્વારા વીજ કંપનીના અધિક્ષકને લેખિત રજૂઆત કરીને પહેલા સરકારી કચેરીઓ અને પાલિકાઓનું જે માંગણું બાકી છે તે રિકવર કરવા માટે વીજ કનેક્શન કાપવામાં આવે ત્યારબાદ મકાન અને ઔદ્યોગિક વિસ્તારમાં બાકીદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબી જિલ્લા કોંગ્રેસના આગેવાન અને મોરબી જિલ્લા પંચાયતના માજી સભ્ય મહેશભાઈ રાજકોટિયા દ્વારા હાલમાં પીજીવીસીએલના અધિક્ષકને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે 75,000 કરતા વધુ બાકીદારો પાસેથી બાકી બિલની રકમ વસૂલ કરવા માટે થઈને પીજીવીસીએલ દ્વારા કનેક્શન કટ કરવા સુધીની કાર્યવાહી કરવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે જોકે મકાન અને કોમર્શિયલ હેતુના વીજ કનેક્શનના બાકી બિલ ઉઘરાવવા માટે થઈને કનેક્શન કાપતા પહેલા મોરબી જિલ્લામાં જે કોઈ સરકારી કચેરી કે નગરપાલિકાઓ પાસેથી વીજ કંપનીએ બાકી બિલના કરોડો રૂપિયા વસૂલ કરવાના છે તે વસૂલ કરવા માટે થઈને ત્યાંના વીજ કનેક્શન કાપવામાં આવે અને ત્યાંથી બાકી બિલની રકમ વસૂલ કરવામાં આવે ત્યારબાદ મોરબીમાં રહેણાંક અને કોમર્શિયલ હેતુ માટેના જે કોઈ વીજ કનેક્શન છે ત્યાં બાકી બિલની રિકવરી કરવા માટે થઈને વીજ કનેક્શન કટ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવે તો તેની સામે કોઈ વાંધો નથી. ખાસ કરીને જે રહેણાંક અને કોમર્શિયલ હેતુ માટેના વિજ કનેક્શનના લાંબા સમયથી બિલ બાકી હોય તેઓને હપ્તા કરી આપવામાં આવે અથવા તો ચડત વ્યાજ માફ કરવા માટેની યોજના અમલમાં મુકવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે અને જો ભેદભાવ ભરી નીતિ રાખીને વીજ કંપનીના અધિકારીઓ દ્વારા મોરબીમાં બાકી બિલની રિકવરી કરવા માટેની કાર્યવાહી કરવામાં આવતી હશે તો મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા લોકોને સાથે રાખીને આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી વિચારવામાં આવી છે






Latest News