મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં અવની ચોકડી પાસે રહેતા વૃદ્ધાએ બીમારીઓથી કંટાળીને જાત જલાવી લેતા સારવાર દરમ્યાન મોત


SHARE













મોરબીમાં અવની ચોકડી પાસે રહેતા વૃદ્ધાએ બીમારીઓથી કંટાળીને જાત જલાવી લેતા સારવાર દરમ્યાન મોત

મોરબીમાં અવની ચોકડી પાસે આવેલ શિવપાર્ક સોસાયટીમાં રહેતા વૃદ્ધાને બીપી અને માનસિક સહિતની બીમારીઓ હતી જે બીમારીઓથી કંટાળીને પોતે પોતાના ઘરની અંદર પોતાની જાત જલાવી લીધી હતી જેથી ગંભીર રીતે દાઝી ગયેલા વૃદ્ધાને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતક વૃદ્ધાના દીકરાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ કૃષ્ણાનગર ગામના રહેવાસી અને હાલમાં મોરબીમાં અવની ચોકડી પાસે આવેલ શિવ પાર્ક સોસાયટીમાં રહેતા ગોદાવરીબેન મોહનભાઈ પનારા (75)એ ગત તા. 22/2 ના રોજ સવારના 6:00 વાગ્યા પહેલા પોતે પોતાની જાતે પોતાના શરીર ઉપર આગ ચાપી લીધી હતી જેથી ગંભીર રીતે દાઝ ગયેલા વૃદ્ધાને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે ગંભીર રીતે દાજી ગયેલ વૃદ્ધાનું તા. 25/2 ના રોજ ચાલુ દરમિયાન મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતક વૃદ્ધાના દીકરા જીતેન્દ્રભાઈ મોહનભાઈ પનારા (46) રહે. શિવપાર્ક સોસાયટી મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ છે અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે છેલ્લા બે થી ત્રણ વર્ષથી મૃતક વૃદ્ધાને બીપીની અને માનસિક બીમારી હતી તેમજ અન્ય બીમારીઓના કારણે તેઓને શરીરમાં ધ્રુજારી આવતી હતી આમ બીમારીઓથી કંટાળી જઈને પોતે પોતાની જાત જલાવી લીધી હતી અને વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજયું છે તેવું તેના પરિવારજનો પાસેથી જાણવા મળ્યું છે જેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News