મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ 24 હોટલ, રેસ્ટોરન્ટ, બેકરીમાં કર્યુ ચોકિંગ: અખાદ્ય કલર-વાસી ખોરાકનો કર્યો નાશ, 16 વેપારીઓને નોટીસ મોરબી નજીકના વીરપર પાસે આવેલ નવયુગ સંકુલમાં નેશનલ સાયન્સ ડેની ઉજવણી કચ્છના સરહદીય વિસ્તાર કુરન મધ્યે સાંસદ દ્વારા રંગોત્સવની ઉજવણી કરાઇ મોરબીમાં મુસ્લિમ યુવાનની નિર્મમ હત્યા કરનારા આરોપીઓનું સરઘસ કાઢીને આકરી સજાની સમાજની માંગ ભુજ એરપોર્ટ ખાતે સંસદ વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને એરપોર્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઈ ઇઝરાયેલ-ઈરાન યુદ્ધની અસર: મોરબીથી બિઝનેસ કે ફરવા માટે ગયેલા 43 જેટલા લોકો હાલમાં દુબઈમાં ફસાયા મોરબીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપતો વિશાલ સેજપાલ પત્રકાર નથી: ભોગ બનેલ લોકોને પોલીસનો સંપર્ક કરવા ડીવાયએસપીની અપીલ મોરબીના લાલપર અને ગુંગણ ગામેથી સગીરાઓના અપહરણ કરનાર ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબી બોયઝ હાઇસ્કુલ ખાતે માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન- માતૃભાષા મહિમાગાનનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબી બોયઝ હાઇસ્કુલ ખાતે માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન- માતૃભાષા મહિમાગાનનો કાર્યક્રમ યોજાયો

વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગર અને શ્રી રસિકલાલ શેઠ બોયઝ હાઇસ્કુલ મોરબીના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન દ્વારા માતૃભાષાનું મહિમાગાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સર્વોદય એજ્યુકેશન સોસાયટીના મંત્રી રજનીભાઈ મહેતા તેમજ ટ્રસ્ટી દેવાંગભાઈ દોશી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સંયોજક તરીકેની ભૂમિકા ડૉ. અતુલ કે. ધ્રુવએ ભજવી હતી ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાંનો ઓડિયો પણ સુજ્ઞ શ્રોતાજનોને સંભળાવેલ હતો. કાર્યક્રમમાં રાજકોટથી કવિ રાકેશ હાંસલીયા તથા દિનેશ કાનાણી અને મોરબીના ડૉ. રામ વારોતરીયા ઉપસ્થિત રહ્યા હતા. અને ત્રણેય કવિઓ દ્વારા સ્વરચિત ઉત્તમ ગઝલો, કાવ્યોનું પઠન  કરવામાં આવ્યું હતું. અને કવિઓની ગઝલ સાંભળીને શ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યા હતાં. કાર્યક્રમની પૂર્ણાહુતિ  પ્રા. કે.આર. દંગીએ આભાર વિધિ કરી હતી. કાર્યક્રમનું સંચાલન ડૉ. કવિતાબા ઝાલાએ કર્યું હતું.






Latest News