મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગેલ પોલીસનું ફૂટ પેટ્રોલીંગ મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળી નિમિતે દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન


SHARE













મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળી નિમિતે દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળી માટે પધારેલા લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ભાવચંદ્રજી મહારાજ સાહેબની નિશ્રામાં  દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હોઈ તેમના આગામી કાર્યક્રમ મુજબ ચૈત્રી નવરાત્રિ શક્તિ સાધનાના શુભ દિવસે શ્રી નવકાર- ઊવસગ્ગહર જાપ તા.20/03 શુક્રવાર સવારે 7.30 થી 9.00 વ્યાખ્યાન તથા જાપ કરાવવામાં આવશે.

ધર્મ વત્સલા તરૂબેન નવીનભાઈ દોશીના આરોગ્ય માટે મોરબીના તમામ જૈન સંઘોના જાપ - સ્થાનકવાસી જૈન સંઘ સોની બજાર ઉપાશ્રય ખાતે રાખેલ છે. તથા તા. 21/3 શનિવાર સવારે 7:30 થી 8:30 વ્યાખ્યાન  એમ.પી. શેઠ પ્લોટ પૌષધશાળામાં રાખેલ છે. અને તા. 22.3 થી નિયમિત વ્યાખ્યાન સમય સવારે 7:30 થી 8:30 સોનીબજાર ઉપાશ્રયમાં રહેશે. દરેક ભાઈઓ બહેનો મોટી સંખ્યામાંમાં હાજર રહી ધર્મ લાભ લેશો. તથા આચાર્ય ભગવંત પૂજય ભાવચંદ્ર મુનિ મહારાજ, પૂજય વિવેક મુનિ મહારાજ, પૂજ્ય ચેતન મુનિ મહારાજ આદિ સાધુ સાધ્વીજીઓના દર્શન, આશિર્વચનનો લાભ લેશો. તેમજ તા. 24 થી શરૂ થતી શાશ્વતી આયંબિલ ઓળીમાં રેકોર્ડ બ્રેક સંખ્યામાં તપ કરી આત્મા સાથે શરીર ની આરોગ્ય શુદ્ધિ પણ કરવા નામ નોંધાવવા જણાવેલ છે. જૈન ધર્મમાં એક આયંબિલ  કરવાનું પણ પુણ્ય ઘણું બધું થાય છે એમ સમજાવ્યું છે. આયંબિલ ઓળીના પાસ દરેક સંઘની ઓફિસમાંથી મળી શકશે. તેમ  એક યાદી માં જણાવેલ છે.






Latest News