મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત બ્રાહ્મણી-૨ ડેમના પાણીના પ્રવાહથી મયુરનગર-રાયસંગપર રોડનો કોઝવે ધોવાયો મોરબીનો મચ્છુ 2 ડેમ છલકાતા મેયર, ધારાસભ્ય, કલેકટર અને કમિશનરે નવા નીરના કર્યા વધામણાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર-મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જગન્નાથજીની રીટર્ન રથયાત્રા ઉજવણી કરી મોરબીના શનાળા નજીક મેડીકલ કોલેજ સામે સ્કુટરને કાર ચાલકે હડફેટે લેતા ત્રણ મહિલા સારવારમાં વાંકાનેરની શિક્ષિકાને પતિ સહિતના સાસરીયાઓનો ત્રાસ વાત્સલ્ય અને કરુણાની મહેક : મેંગોપીપલ પરીવારના 'પ્રોજેક્ટ મુસ્કાન'નો ૯ મા વર્ષમાં મંગલ પ્રવેશ શારીરિક સ્વચ્છતાની સાચી સમજણ સાથે નિઃશુલ્ક સેનેટરી પેડ્સનું વિતરણ કરાયું વાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકારવાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકાર
Breaking news
Morbi Today

બ્રાહ્મણી-૨ ડેમના પાણીના પ્રવાહથી મયુરનગર-રાયસંગપર રોડનો કોઝવે ધોવાયો


SHARE







બ્રાહ્મણી-૨ ડેમના પાણીના પ્રવાહથી મયુરનગર-રાયસંગપર રોડનો કોઝવે ધોવાયો

હળવદ તાલુકામાં બ્રાહ્મણી-૨ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના પ્રવાહને કારણે મયુરનગર થી રાયસંગપર રોડ પર આવેલા કોઝવેનો એક તરફનો ભાગ ધોવાઈ ગયો છે. બનાવની જાણ થતાં જ સ્થાનિક નાગરિકોની સુરક્ષા અને સલામતીને પ્રાથમિકતા આપીને તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ રસ્તો તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

આ રોડ ઉપર કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. અને વહીવટી તંત્ર દ્વારા પાણીનું સ્તર ઘટતાની સાથે જ આ માર્ગનું સમારકામ હાથ ધરીને વાહનવ્યવહાર પુનઃ ઝડપથી પૂર્વવત કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વાહનચાલકો તથા ગ્રામજનોને સલામતીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા, ધોવાયેલા કોઝવે પરથી પસાર થવાનું સાહસ ન કરવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી માર્ગદર્શિકાઓને અનુસરીને સહયોગ આપવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.






Latest News