લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ચા બનાવવાની બાબતે પતિએ પત્નીને માર માર્યો


SHARE





વાંકાનેરમાં ચા બનાવવાની બાબતે પતિએ પત્નીને માર માર્યો

વાંકાનેરની મત્રી સોસાયટીમાં રહેતી મહિલા સાથે તેના પતિએ ચા બનાવવા બાબતે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો ત્યારબાદ તેને ગાળો આપીને ઝપાઝપી કરી હતી અને મહિલાને માથામાં તથા શરીરે તેના પતિએ માર માર્યો હતો જેથી ઇજાગ્રસ્ત મહિલાએ સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર શહેરમાં આવેલ મંત્રી સોસાયટીમાં રહેતા જોસનાબેન અશોકભાઈ રાઠોડ (39)હાલમાં તેના પતિ અશોકભાઈ ભીખાભાઈ રાઠોડ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યૂ છે કે, તેઓ પોતાના ઘરે હતા ત્યારે તેના પતિએ ચા બનાવી આપવા બાબતે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ઝપાઝપી કરીને શરીરે તથા માથામાં માર મારીને મુંઢ ઇજા કરી હતી જેથી ઈજા પામેલ મહિલાએ સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણાના વાધરવા ગામના પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે પાછળથી ઠોકર મારતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં સલીમભાઈ હબીબભાઈ માલાણી (42), જન્નતબેન સલીમભાઈ માલાણી (42) અને આદિલ સલીમભાઈ માલાણી (2) નામના ત્રણ વ્યક્તિઓને ઈજા થહોવાથી તેને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

હળવદના રણજીતગઢ ગામે રહેતા નરેન્દ્રભાઈ ખોડાભાઈ ચાવડા (34) નામનો યુવાન ગામના પાદર પાસેથી બાઈકમાં જતો હતો ત્યારે કોઈ કારણસર બાઈકમાંથી પડી જતા અકસ્માતના બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી યુવાનને સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News