લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ઘર પાસે પડી ગયા બાદ બેભાન થઈ ગયેલ મહિલાનું સારવારમાં મોત


SHARE





મોરબીમાં ઘર પાસે પડી ગયા બાદ બેભાન થઈ ગયેલ મહિલાનું સારવારમાં મોત

મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતી મહિલા પોતાના ઘર પાસે બેઠી હતી દરમિયાન તે પડી ગઈ હતી અને ત્યાર બાદ તેને ઉલટી થઈ હતી અને મહિલા બેભાન થઈ ગઈ હતી જેથી તેને સારવાર માટે મોરબી અને ત્યાંથી રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર દરમ્યાન તે મહિલાનું મોત નીપજયું છે જેથી આ બનાવની મૃતક મહિલાના પરિવારજનો દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગાહી કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ એસ્સારના પેટ્રોલ પંપની પાછળના ભાગમાં ભરવાડ સમાજની વાડી પાસે રહેતા ગોમતીબેન મેરૂભાઈ માંડવીયા (41) નામના મહિલા ગત તા. 15/3 ના રોજ સવારે 11 વાગ્યે પોતે પોતાના ઘર પાસે બેઠા હતા અને ત્યાં તેઓ અચાનક પડી ગયા હતા અને ત્યારબાદ તેને ઉલટી થઈ હતી અને તેઓ બેભાન ગયા હતા જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની આયુષ હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાં તેઓની સારવાર ચાલુ હતી અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મહેશભાઈ મેરૂભાઈ માંડવીયા (50) રહે. ત્રાજપર મોરબી વાળાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

માર માર્યો

હળવદમાં રહેતા બીપીનભાઈ મનોજભાઈ રાઠોડ (24) નામના યુવાનને કોઈએ માર માર્યો હતો જેથી ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

વીરપર ગામ પાસે બસ સ્ટેશન નજીક અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં કિશનભાઇ મગનભાઈ (45) નામના યુવાનને ઈજા થઈ હતી જેથી તેને 108 મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

હળવદમાં રહેતા કરણસિંહ લખમણસિંહ રાવત (30) નામના યુવાનને હળવદમાં ફાટક નજીક હતો ત્યારે અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News