મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં આવેલ ઓમશાંતિ વિદ્યાલય ખાતે ભારતમાતાના વીર સપૂતો ભગતસિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવના બલિદાનને યાદ કરી "શહીદ દિવસની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. અને દેશની આઝાદી માટે હસતા મુખે ફાંસીના માંચડે ચડનાર આ ત્રણેય મહાપુરુષોની પુણ્યતિથિ નિમિત્તે શાળામાં વિશેષ પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ધોરણ ૧૧ એ અને બી ના વિદ્યાર્થીઓએ શહીદોની છબી સમક્ષ પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યાર બાદ વિદ્યાર્થીઓએ શાહિદ વીરોના જીવન અને તેમના દેશપ્રેમ વિશે વિસ્તૃત માહિતી રજૂ કરી હતી. અને વિદ્યાર્થીઓએ ક્રાંતિકારીઓના સંઘર્ષની ગાથા વર્ણવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. જેથી શાળાના આચાર્ય અને શિક્ષકગણે વિદ્યાર્થીઓના આ સુંદર પ્રયાસને બિરદાવ્યો હતો.






Latest News