મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા
Breaking news
Morbi Today

મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં આવેલ ઓમશાંતિ વિદ્યાલય ખાતે ભારતમાતાના વીર સપૂતો ભગતસિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવના બલિદાનને યાદ કરી "શહીદ દિવસની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. અને દેશની આઝાદી માટે હસતા મુખે ફાંસીના માંચડે ચડનાર આ ત્રણેય મહાપુરુષોની પુણ્યતિથિ નિમિત્તે શાળામાં વિશેષ પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ધોરણ ૧૧ એ અને બી ના વિદ્યાર્થીઓએ શહીદોની છબી સમક્ષ પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યાર બાદ વિદ્યાર્થીઓએ શાહિદ વીરોના જીવન અને તેમના દેશપ્રેમ વિશે વિસ્તૃત માહિતી રજૂ કરી હતી. અને વિદ્યાર્થીઓએ ક્રાંતિકારીઓના સંઘર્ષની ગાથા વર્ણવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. જેથી શાળાના આચાર્ય અને શિક્ષકગણે વિદ્યાર્થીઓના આ સુંદર પ્રયાસને બિરદાવ્યો હતો.






Latest News