મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન


SHARE







મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન

મોરબીમાં સંવિધાન ચેરિટેબલ એન્ડ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરજી તેમજ મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે આગામી તા ૧૧/૪/૨૬ ને શનિવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે ભડીયાદ કાંટે આવેલ તથાગત બુદ્ધ કામયુનિટી હૉલ ખાતે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે જાહેર જનતાને આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

ભારત વર્ષના બે મહાન સમાજ સુધારકો અને યુગપુરૂષો એવા ડો. બાબા સાહેબ આંબેડકરજી અને મહાત્મા જ્યોતિબા ફુલેજી ની જન્મજયંતિ નિમિત્તે સંવિધાન ચેરિટેબલ એન્ડ એજયુકેશન ટ્રસ્ટ- મોરબી દ્વારા "યુગપુરૂષ વંદના" સંગીત સંધ્યા તેમજ મહાપુરૂષોની જીવન સંઘર્ષ ગાથાનું આયોજન કરવામાં આવેલ છે જેમા ગુજરાતના ખ્યાતનામ કલાકાર પ્રદીપભાઈ સોલંકી-સુરત, બિંદીયાબેન સોલંકી-જૂનાગઢ, નીલયરાજભાઈ- કચ્છ તેમજ કમલેશભાઈ પુરબીયા અને સાજિંદા ગ્રૂપ પોતાનો સંગીતરસ પીરસશે. આ સંગીત સંધ્યાનો વધુમાં વધુ લોકો લાભ લે તેના માટે આયોજકોએ જાહેર આમંત્રણ આપ્યું છે. 






Latest News