હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો


SHARE







મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો

મોરબીના ઉંચી માંડલ નજીક કેનાલમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે, મૃતક યુવાન નવલખી ફાટક પાસે રહેતો હતો.યુવાન કેનાલમાં પાણી પીવા ગયો હતો ત્યારે લપસી પડવાને કારણે ડૂબી ગયો હોવાનું સામે આવ્યું છે.

સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, મોરબીના નવલખી ફાટક પાસે પરશુરામ મંદિરની બાજુમાં રહેતો સંજયભાઇ વિનુભાઇ જસમુલીયા નામનો ૨૦ વર્ષીય યુવાન ત્રણેક દિવસ પહેલા ઉંચી માંડલ ગામે હતો અને તે કેનાલના કાંઠે પાણી પીવા જતી વખતે અચાનક પગ લપસી જતાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.અને ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. અગાઉ જ્યારે યુવાનનો મૃતદેહ મળી આવ્યો ત્યારે મોતનું કારણ અકબંધ હતું. હાલ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ બાદ મોરબી તાલુકા પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

છેતરપિંડીમાં પોલીસ કાર્યવાહી

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છેતરપિંડીના ગુનાની તપાસ ચલાવી રહેલા પીએસઆઇ સી.એમ.કરકર તથા રાઇટર હરસુખભાઈ દ્વારા તે ગુનામાં સંડોવાયેલા કેતન લાલજી સંઘાણી (૩૨) રહે.ઘુંટુ તા.મોરબી તથા સંદીપ માવજીભાઈ મેરજા (૪૩) રહે.મહેન્દ્રનગર તા.મોરબી સામે ધોરણ કાર્યવાહી કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના નાગડાવાસ ગામની પાસે ઓવરબ્રિજ નજીક બાઇક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો.આ બનાવમાં અજીતસિંહ નવલસિંહ ઝાલા (૩૯) રહે.પાવન પાર્ક શેરી નંબર-૫ સામાકાંઠે મોરબી-૨ ને ઈજાઓ થઈ હોય આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીની સરતાનપર ચોકડી પાસે સામસામે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ઢીલાભાઈ ઉમરભાઈ ચાડમિયા (૩૦) અને સામેના પક્ષેથી સંજય લેવીજભાઇ મંડુરીયા (૩૦) રહે.ટીટા ચોકડી સરતાનપર ને ઇજા થયેલી હોય તે બંનેને સારવાર માટે અહિંની સિવિલે લાવવામાં આવ્યા હતા






Latest News