હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ


SHARE







મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ

મોરબીના સોઓરડી વિસ્તારમાં ત્રિમંદિર પાસે રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને સમાજમાં બદનામ કરવા માટે તે દારૂ વેચતો હોવાની ખોટી વાતો એક શખ્સ દ્વારા કરવામાં આવતી હતી જેથી યુવાને તેની સાથે જવાની ના પાડી હતી જેથી ઉશ્કેરાઈ ગયેલા શખ્સે ઝાપટો મારી હતી અને નળિયાના ટુકડા વડે માથામાં મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જ્યારે પક્ષેથી પણ મારામારીના આ બનાવ સંદર્ભે ફરિયાદ નોંધાવામાં આવતા પોલીસે સામસામે ફરિયાદ લઈ આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સોરડી પાસે આવેલ ચામુંડાનગર શેરી નં.1 માં રહેતા મગનભાઈ નાનજીભાઈ સોલંકી (42)મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રમેશભાઈ જેઠાભાઇ ચાવડા રહે. મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે, તેઓ મજૂરી કામ કરતા હોવા છતાં આરોપી ફરિયાદીને સમાજમાં બદનામ કરવા માટે દારૂ વેચતા હોવાની ખોટી વાતો કરી હતી અને પોતાની સાથે આવવાનું કહ્યું હતું જેથી ફરિયાદીએ કહ્યું હતું કે “તું મને બધી જગ્યાએ ખોટી વાત કરીને બદનામ કરે છે જેથી મારે તારી સાથે આવું નથી” તેવું કહેતા આરોપીને તે સારું લાગ્યું ન હતું અને તેને ફરિયાદીને જાહેરમાં ગાળો આપીને બે થી ત્રણ ઝાપટો મારી હતી અને નળિયાનો ટુકડો ઉપાડીને ફરિયાદીને માથાના ભાગે મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જ્યારે સામાપક્ષેથી આ બનાવમાં મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રામાપીરના મંદિર સામે રહેતા રામજીભાઈ ઉર્ફે રમેશભાઈ જેઠાભાઈ ચાવડા (44)એ મગનભાઈ નાનજીભાઈ સોલંકી તથા જયુ ગૌતમભાઈ સોલંકી રહે. બંને મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી સમાજ સેવાનું કામ કરે છે અને સરકારની અલગ અલગ યોજનાઓનો લાભ લેવા સમાજને માહિતગાર કરે છે જો કે, આરોપી જયુ સોલંકીના પિતા રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે જેથી બંને આરોપીઓને તે સારું નહીં લગતા તેનો ખાર રાખીને ફરિયાદીને જેમ ફાવે તેમ જાહેરમાં ગાળો આપી હતી અને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને પગના ભાગે ઇજા કરી હતી જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે






Latest News