હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીમાં લોકડાઉનમાં થયેલ મારામારીના ગુનામાં આરોપીઓને નિદોર્ષ છોડવાનો હુકમ


SHARE







મોરબીમાં લોકડાઉનમાં થયેલ મારામારીના ગુનામાં આરોપીઓને નિદોર્ષ છોડવાનો હુકમ

મોરબીમાં વર્ષ ૨૦૨૦ માં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારી કરવાના ગુનામાં ફરીયાદ નોંધાતા પોલીસ ધ્વારા ત્રણ આરોપીઓ વિરુધ્ધ કલમ ૩૨૩, ૩૨૫, ૧૧૪ હેઠળનો ગુનો નોંધી નામદાર ચીફ કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલ. સદરહું કેસ મોરબી ચીફ કોર્ટમાં ચાલી જતાં આ ગુનામાં ત્રણેય આરોપીઓને નામદાર ચીફ કોર્ટે નિદોર્ષ છોડવાનો હુકમ કરેલ છે.

જેમાં આરોપી ભારતીબેન મહેશભાઈ કગથરા, પ્રવીણભાઈ વીઠઠ્ઠલભાઈ કગથરા તેમજ અશ્વીનભાઈ નવધણભાઈ કગથરા વતી વકીલ મીતરાજસિંહ કિશનસિંહ જાડેજા રોકાયેલ હતા. સદરહું કેસમાં આરોપીઓના વકીલ મીત રાજસિંહ કે.જાડેજા દ્રારા ધારદાર દલીલો કરવામાં આવી હતી તથા નામદાર હાઈકોર્ટ તથા નામદાર સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટો ૨જૂ કરી પોતાનો બચાવ યોગ્ય રીતે સાબીત કરતાં મોરબીની ચીફ કોર્ટ ધ્વારા તમામ આરોપીઓને નિદોર્ષ છોડવાનો હુકમ કરેલ છે.આ કામમાં આરોપીઓ તરફે મોરબીના યુવા વકીલ મીતરાજસિંહ કે.જાડેજા, સુરેશ આર. વાઘાણી, આશિષ ડી.ચાવડા રોકાયેલ હતાં.






Latest News