મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન


SHARE









મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન

સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજનું આદર્શ અને મજબૂત સામાજિક બંધારણ બનાવવાના ઉદ્દેશ્ય સાથે મોરબીમાં કાલે સમરસ યુવા સંગઠન દ્વારા મહાસંમેલનનું આયોજન કરાયું છે અને સમાજને સંગઠિત કરીને પ્રગતિશીલ બનાવવા માટે એક સર્વગ્રાહી બંધારણ ઘડવું એ હાલના સામાની માંગ છે જેથી સંતો મહંતો અને સમાજના આગેવાનોની હાજરીમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં સમરસ યુવા સંગઠન દ્વારા તા 2/5 ને શનિવારના રોજ સવારે 09:30 કલાકે રવાપર-લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ સમરસ ભવન ખાતે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ સંમેલનનો મુખ્ય હેતુ પરંપરાગત મૂલ્યોને જાળવી રાખીને કુરિવાજોને તિલાંજલિ આપવાનો છે અને શિક્ષણના વ્યાપને વધારવાનો છે. ખાસ કરીને કનીરામદાસજી બાપુને જગતગુરુની સર્વોચ્ચ પદવી પ્રાપ્ત થતા સમરસ યુવા સંગઠન દ્વારા તેમનું ભવ્ય સન્માન કરવામાં આવશે. તેમજ અખિલ ભારતીય રબારી સમાજ ધર્મ ગુરુગાદી વડવાળા મંદિર દુધરેજ ધામના લઘુ મહંતની પદવી નાગરદાસજી બાપુને મળતા તેઓને પણ સન્માનિત કરાશે. આ કાર્યક્રમમાં વડવાળા મંદિર દુધઈ ધામના રામબાલકદાસજી બાપુ, વડગુરુ ગાદી આપાજાલા ધામ, મેસરીયાના બંસીદાસજી બાપુ, ખાનકોટડા મંમાઈ માતાજી મઢના ભૂવા લક્ષ્મણઆતા નારણઆતા અને અદેપર મંમાઈ માતાજી મઢના ભૂવા સવાઆતા લક્ષ્મણઆતા પણ હાજર રહેશે. અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બપોરે 11:30 કલાકે ભોજન સમારંભ રાખવામાં આવ્યો છે. જેના દાતા વિરપર ગામના કાનજીભાઈ ડુંગરભાઈ ભુંભરીયા હોવાનું કાર્યક્રમના આયોજક સમરસ યુવા સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું છે.






Latest News