મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા


SHARE













મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા

પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામીની નિશ્રામાં શાસન સ્થાપના દિવસે એક સાથે ૫૩ શ્રાવક-શ્રવિકોએ સામુહિક રીતે શ્રાવકના બાર વ્રતની આરાધનાનો સંકલ્પ લઈને કર્મની શુદ્ધિ અને પુણ્યની વૃદ્ધિ કરી હતી. ડૉ. ચિંતનચંદ્રજી સ્વામી, ધીરતાજી આર્યાજી વગેરેએ વ્યાખ્યાન, શિબિર, મહિલા મંડળ, વિમલનાથ પ્રભુના જાપ આદી કાર્યક્રમોમાં ધર્મ પ્રેરણા કરીને શ્રાવક જીવનના પરમ આદર્શરૂપ બાર વ્રતની ધારણા કરવા સમજણ આપી હતી. અને રોજ રાતે ભાઈઓને પણ પૂ.શ્રી. વર્ધમાન સ્વામીએ વિસ્તારથી શ્રાવકવ્રતની સમજુતી આપીને વધુને વધુ પાપ પ્રવૃત્તિનો ત્યાગ કરવાની ભાવ પ્રેરણા કરી હતી. વ્રતધારી દરેક આરાધકોની એક ગુરુભક્ત તરફથી અનુમોદના કરવામાં આવેલ હતું અને શાસન સ્થાપના ૨૫૮૨ માં વર્ષના પ્રારંભે અઢીસો પચ્ચખાણમાં ૨૮૯ ભાવિકો જોડાયા હતા. પૂ. આચાર્ય ભાવચંદ્રજી સ્વામીની નિશ્રામાં શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં દૈનિક પ્રવચન ધારામાં જૈન-જૈનેતર ભાવીકો લાભ લે છે. મોરબી મનપા ચુંટણીમાં વિજેતા થયેલ ઉમેદવારો અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ ગુરુદર્શન માટે હાજર રહ્યા હતા.






Latest News