મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે


SHARE













મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે

સીમા સુરક્ષા, રાષ્ટ્રીય ચેતના અને સ્વાવલંબનના ઉમદા હેતુ સાથે સીમા જાગરણ મંચ દ્વારા જુદાજુદા વિસ્તારમાં કાર્યક્રમ કરવામાં આવે છે તેવામાં તા 3/5 ને રવિવારના રોજ ઝીંઝુડા ખાતે સીમા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અને સાંજે 5:00 વાગ્યે કાનસ્વામી બાપુની જગ્યા ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં વિવિધ વિસ્તારોમાંથી નાગરિકોને મોટી સંખ્યામાં હાજર રહેવા માટે આયોજકોએ આહ્વાન કર્યું છે.

આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ દેશની સરહદોની સુરક્ષા માટે જનજાગૃતિ ફેલાવવાનો તેમજ સીમાવર્તી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે રાષ્ટ્રીય ચેતનાનું નિર્માણ કરવાનો છે. તેમજ સંગઠન શક્તિ મજબૂત બનાવી સીમાવર્તી ગામોને સ્વાવલંબન તરફ આગળ વધારવાનો સંદેશ આપવામાં આવશે. મોરબી જિલ્લા સીમા જાગરણ મંચ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાષ્ટ્રપ્રેમી નાગરિકો, યુવાનો અને સમાજના આગેવાનોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. અને આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજન પ્રસાદનું આયોજન આયોજકો દ્વારા કરાયું છે.






Latest News