વાંકાનેરમાં કંપનીના એકાઉન્ટન્ટે 56.59 લાખ રૂપિયા માતા-માસીના એકાઉન્ટમાં જમા કરાવીને કર્યો વિશ્વાસઘાત
માળીયા (મી)ના ચાચાવદરડા નજીકથી રીક્ષાને છોટાહાથીના ચાલકે ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત: 4 ને ઇજા
SHARE
માળીયા (મી)ના ચાચાવદરડા નજીકથી રીક્ષાને છોટાહાથીના ચાલકે ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત: 4 ને ઇજા
માળીયા જામનગર રોડ ઉપર આવેલ ચાચાવદરડા ગામ નજીકથી સીએનજી રીક્ષા પસાર થઇ રહી હતી ત્યારે છોટાહાથી વાહનના ચાલકે સાઈડમાંથી રીક્ષાને હડફેટે લીધી હતી જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં રીક્ષા ચાલક તેમજ રિક્ષામાં બેઠેલી યુવાન, તેના પત્ની, તેની દીકરી અને ભાણેજને ગંભીર ઇજાઓ થઈ હતી જેમાં મહિલાને માથા અને શરીરે વધુ ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના પતિએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે છોટા હાથીના ચાલાક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જામનગરમાં આવેલ દિગ્વિજય પ્લોટ શંકર ટેકરી આશાપુરા મંદિરની પાછળના ભાગમાં રહેતા શૈલેષભાઈ ઓધવજીભાઈ દામા (37) એ છોટા હાથી નંબર જીજે 36 વી 9709 ના ચાલક સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે જામનગર રોડ ઉપર આવેલ ચાચાવદરડા ગામ નજીક આવેલા કારખાના પાસેથી ફરિયાદી સાહેદની સીએનજી રીક્ષા નંબર જીજે 10 ટીઝેડ 5871 માં બેસીને જતાં હતા ત્યારે રિક્ષામાં ફરિયાદના પત્ની, દીકરી અને ભાણેજ બેઠેલા હતા દરમ્યાન રિક્ષાની સાઈડમાં આરોપીએ તેનું છોટા હાથી વાહન અથડાવ્યું હતું જેથી અકસ્માત થયો હતો અને આ બનાવમાં ફરિયાદી તથા સાહેદ નીતિનભાઈને શરીરે ઇજાઓ થઈ હતી જ્યારે ફરિયાદીની દીકરી રિદ્ધિને માથા અને જડબાના ભાગે ઇજાઓ થઈ હતી અને ફરિયાદીના ભાણેજ મંથનને માથામાં હેમરાજ થયું હતું અને ફરિયાદીના પત્ની પૂજાબેનને માથા તથા શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માતના આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના પતિએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે છોટા હાથીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
પરિણીતાએ નોંધાવી ફરિયાદ
મૂળ હળવદના રાણેકપર રોડ ઉપર આવેલ આનંદ બંગલોઝ ખાતે રહેતા અને હાલ માવતરના ઘરે મોરબીના રાજપર ગામે રહેતા કૃપાબેન અંકિતભાઈ અગોલા (25)એ હાલમાં મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે પતિ અંકિત ભાવેશભાઈ અગોલા, સાસુ મીનાબેન ભાવેશભાઈ અબોલા રહે. બંને હળવદ તથા નણંદ અર્પિતાબેન જીલભાઈ વડગાસીયા રહે. મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીને તેના પતિ, સાસુ અને નણંદે અવારનવાર નાની નાની બાબતો અને ઘરકામ બાબતે હેરાન પરેશાન કરી દુઃખત્રાસ આપ્યો હતો અને મારકૂટ કરી હતી જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં પતિ સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે.