મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબી કાપડ મહાજન-રેડીમેઇડ ગારમેન્ટ એસો. દ્વારા જીએસટી વધારવાના નિર્ણયનો વિરોધ


SHARE







મોરબી કાપડ મહાજન-રેડીમેઇડ ગારમેન્ટ એસો. દ્વારા જીએસટી વધારવાના નિર્ણયનો વિરોધ

કેન્દ્ર સરકાર દ્વારા કાપડ અને રેડીમેઇડ ગારમેન્ટમાં ૧૨ ટકા જીએસટી કરેલ છે તે અસહ્ય હોવાથી તેને ઘટવાની ઠેરઠેરથી વેપારી સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે ત્યારે મોરબી કાપડ મહાજન અને રેડીમેઇડ ગારમેન્ટ એસોસિયેશ દ્વારા ગઇકાલે કલેકટરને આવેદનપત્ર આપીને ૫ ટકા જીએસટી રેટ કરી આપવા માટેની રજૂઆત કરવામાં આવી છે ત્યારે વેપોરીઓએ જણાવ્યુ હતું કે, તા.૧-૧-૨૨ થી કાપડ અને રેડીમેઇડ ગારમેન્ટમાં ૫ ટકાને બદલે ૧૨ ટકા જીએસટી કરવામાં આવેલ છે જેથી કરીને વેપારીઓની મુશ્કેલી વધશે અને કાપડ અને રેડીમેઇડ ગારમેન્ટ જીવન જરૂરિયાતની વસ્તુ છે તેના ઉપર જો ટેક્સ વધારવામાં આવશે તો સામાન્ય લોકો ઉપર પણ આર્થિક ભારણ વધી જશે જેથી કરીને આ આવશ્યક વસ્તુ ઉપર ટેક્સ વધારવામાં આવે નહિ અને જીએસટી રેટને યથાવત જ રાખવા માટેની મોરબીના વેપારી એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી છે અને ટેકસ વધારવાના સરકારના નિર્ણયનો વેપારીઓએ સખત વિરોધ કરેલ છે.






Latest News