મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા તેજસ્વિતા અભિવાદન સમારોહની તૈયારી શરૂ
SHARE
મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા તેજસ્વિતા અભિવાદન સમારોહની તૈયારી શરૂ
સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા તેજસ્વિતા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવેલ છે. જેથી વિદ્યાર્થીઓએ તેના માર્કશીટ પહોંચાડવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓને આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે.
સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી દ્વારા પ્રતિવર્ષે યોજાતા તેજસ્વિતા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કર્યું છે અને તેના માટે મોરબીમાં વસવાટ કરતા ધો. ૧ થી કોલેજ તથા અનુસ્નાતક કક્ષાના બ્રહ્મસમાજના વિધાર્થી ભાઈ-બહેનોએ પોતાના માર્કશીટની નકલ પાછળ પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર સહિતની વિગતો લખી તા.૧૫-૬ સુધીમાં ભુપતભાઈ પંડ્યા (પરશુરામ ધામ-મોરબી), ડો.લહેરૂ સાહેબનું દવાખાનું (શનાળા રોડ દતાત્રેય મંદિર પાસે), ડો.બળવંતભાઈ પંડ્યાનું દવાખાનું (વાઘપરા-મોરબી), ડો.આશિષભાઈ ત્રિવેદીનું દવાખાનું (મહારાણા પ્રતાપ સર્કલ પાસે મોરબી-૨) અને ભારતિ વિદ્યાલય (ઉમા ટાઉનશીપ પાસે મોરબી-૨) ખાતે પહોંચાડવા સંસ્થાના પ્રમુખ આર.કે.ભટ્ટ તથા મહામંત્રી નિરજભાઈ ભટ્ટ તથા જયેશભાઈ દવે દ્રારા યાદીમાં જણાવવામાં આવ્યુ છે.









