મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત મોરબીના સનાળા રોડ ઉપર આવેલ વીઆઇ ના સ્ટોરમાં સર્વર રૂમમાં લાગી આગ, મોટું નુકસાન મોરબીમાં શુક્રવારે સમસ્ત જૈન મહિલા મંડળોનો પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત


SHARE











મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત

મોરબીના લક્ષ્મીનાગર ગામેથી કાકા ભત્રીજા અને ધરમપુર ગામેથી યુવાન ઘેટા બકરા ચરાવવા માટે થઈને નવા સાદુળકા ગામ પાસે ગયા હતા ત્યારે ત્યાં પાણીના ખેત તલાવડામાં નાહવા માટે ગયેલ બાળક સહિત કુલ ત્રણેય વ્યક્તિ પાણીમાં ગયા હતા અને કારણોસર પાણીમાં ડૂબી ગયા હતા જો કે, ત્યાં તેઓના મોબાઈલ, ચપ્પલ અને કપડાં પડેલા હતા જેથી તેઓ પાણીમાં ડૂબી ગયા હોવાની શંકા હતી જેથી તાત્કાલિક ફાયર વિભાગને બનવાની જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીમાં ડૂબી ગયેલા બાળક સહિતના ત્રણેય વ્યક્તિઓના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે.

મૂળ કચ્છ જિલ્લાના રહેવાસી અને હાલમાં છેલ્લા ઘણા વર્ષોથી મોરબી તાલુકાનાં લક્ષ્મીનગર ગામ પાસે રહેતા હઠાભાઇ પુંજાભાઈ રાતડીયા (28) અને તેઓનો ભત્રીજો જયદેવ સોંડાભાઈ રાતડીયા (13) તેમજ મોરબી તાલુકાનાં ધરમપુર ગામે રહેતા કાળુભાઈ ગીગુભાઈ વેહરા (31) ઘેટાં બકરા ચરાવવા માટે મોરબી નજીકના નવા સાદુળકા ગામ પાસે લઈને ગયા હતા ત્યારે પાણી ભરેલા ખેત તલાવડામાં બુધવારે સવારે 11 વાગ્યાના અરસામાં તેઓ નાહવા માટે થઈને પડ્યા હતા દરમ્યાન તેઓ બહાર ન નીકળતા માલ ઢોર લઈને ચરાવવા માટે ગયેલા અન્ય વ્યક્તિઓ ત્યાં જોવા માટે ગયા હતા ત્યારે તલાવડાના કાંઠે મોબાઈલ ફોન, કપડાં અને ચપ્પલ પડ્યા હતા જો કે, નાહવા માટે ગયેલ ત્રણેય વ્યક્તિ દેખાતા ન હતા.

જેથી કરીને નાહવા માટે પડેલા ત્રણેય વ્યક્તિ કોઈ કારણોસર પાણીના તલાવડામાં ડૂબી ગયા હોવાથી આ અંગેની તાત્કાલિક મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ત્યાં ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીમાં ડૂબી ગયેલા વ્યક્તિઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને પાણીમાંથી હઠાભાઇ પુંજાભાઈ રાતડીયા, તેના ભત્રીજા જયદેવ સોંડાભાઈ રાતડીયા અને કાળુભાઈ ગીગુભાઈ વેહરાના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. અને અકસ્માત મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News