મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

સંઘ શક્તિ વિજય: મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ વિરોધ કરતાં એમજીઓ બંધ કરવાના નિર્ણયને ગુજરાત ગેસ કંપનીએ પાછો ખેંચ્યો


SHARE













સંઘ શક્તિ વિજય: મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ વિરોધ કરતાં એમજીઓ બંધ કરવાના નિર્ણયને ગુજરાત ગેસ કંપનીએ પાછો ખેંચ્યો

મોરબીના સિરામિક ઉદ્યોગમાં ગુજરાત ગેસ કંપની દ્વારા આપવામાં આવતા નેચરલ ગેસનો ઉપયોગ કરીને હાલમાં સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવ્યું છે અને સિરામિક ઉદ્યોગકારો  ગેસ કંપની પાસેથી એજીઓ કરાર કરીને ગેસ મેળવી રહ્યા છે પરંતુ અચાનક જ ગુજરાત ગેસ કંપની દ્વારા સિરામિક ઉદ્યોગકારો સાથે જીઓ કરાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેથી ઉદ્યોગકારોને મળતો ગેસ સાડા ત્રણ રૂપિયા કરતાં વધુ મોંઘો થાય તેવી શક્યતા હતી જેથી કરીને ઉદ્યોગકારો ગુજરાત ગેસ કંપનીની ઓફિસ ખાતે ધરણા કર્યા હતા અને ગેસ કંપની દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો હતો તેને તાત્કાલિક અસરથી પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરી હતી અને ગાંધીનગર સુધી ફોનના દોરડા ધણધણાવી નાખ્યા જેથી કરીને તાત્કાલિક ગુજરાત ગેસ કંપની દ્વારા તેનો નિર્ણય પાછો ખેંચીને રાબેતા મુજબ એમજીઓથી ગેસ આપવાની તૈયાર દર્શાવવામાં આવી છે

ગુજરાત ગેસ કંપની દ્વારા મોરબીના ઉદ્યોગકારોને એજીઓ કરાર કરીને નેચરલ ગેસ સપ્લાય કરવામાં આવે છે તે એજીઓ કરાર બંધ કરેલ હતો જેથી કરીને મોરબી સીરામીક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મોરબીના લગભગ ૯૯ ટકા ઉદ્યોગકારો ગુજરાત ગેસ કંપની સાથે એજીઓ કરીને કરાર આધારીત ગેસ મેળવી રહ્યા છે કારણ કે એજીઓ કરાર કરેલ હોય તો ગેસ નોન એમજીઓ કરતાં લગભગ સાડા ત્રણ રૂપિયા જેટલો સસ્તો મળતો હોય છે જેથી કરીને તેઓને ઉત્પાદનની કિંમત નીચે લાવવામાં અને બજારમાં ટકી રહેવા માટે થઈને ફાયદો થતો હોય છે

પરંતુ અચાનક ગુજરાત ગેસ કંપની દ્વારા એજીઓ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેથી કરીને સિરામિક ઉદ્યોગકારોમાં રોષની લાગણી ફેલાઇ હતી અને મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારીયા સહિતના લગભગ ૨૦૦ જેટલા સિરામિક ઉદ્યોગકારો મોરબીના લાલપર ગામ પાસે આવેલ ગુજરાત ગેસ કંપનીની ઓફિસ ખાતે ગયા હતા અને ગુજરાત ગેસ કંપની દ્વારા જે એમજીઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવેલ હતો તે નિર્ણયનો વિરોધ સિરામિક ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવ્યો હતો અને ઉદ્યોગકારોએમજીઓ કરાર કરીને જે રીતે ગેસ સપ્લાય કરવામાં આવે તે મુજબની રજૂઆત કરી હતી અને આ મુદે ગાંધીનગર મંત્રી બ્રિજેશભાઇ મેરજા તેમજ સાંસદ મોહનભાઇ કુંડારિયા સાથે ફોન ઉપર વાત કરી હતી અને ત્યાર બાદ ગુજરાત ગેસ કંપની હાલમાં તેનો નિર્ણય પડતો મૂકીને રાબેતા મુજબ જ ગેસ સિરામિક ઉદ્યોગમાં એમજીઓ કરીને આપવાની ખાતરી આપેલ છે જેથી કરીને ઉદ્યોગકારોના હર્ષની લાગણી છે

અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીના સિરામિક ઉદ્યોગકારોને એજીઓ કરાર કરે તો 58.89 રૂપિયાના ભાવથી ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસ સપ્લાય કરવામાં આવે છે અને જો તે નોન એમજીઓ હોય તો તે જ ગેસ 62.75 રૂપિયાના ભાવથી ઉદ્યોગકારોને મળે તેવી શક્યતા છે અને તેના ઉપર 6 ટકા ટેક્સ લાગતો હોવાથી સિરામિક ઉદ્યોગકારો ઉપર સીધી રીતે નહીં પરંતુ આડકતરી રીતે લગભગ સાડા ત્રણ રૂપિયાનો ભાવ વધારો કરવાની તૈયારી કરવામાં આવી હતી જો કે, ગુજરાત ગેસ કંપની દ્વારા આ રીતે અચાનક જ એજીઓ કરારને બંધ કરવાનો નિર્ણય લીધો હતો જેનો સિરામિક ઉદ્યોગકારોએ સંયુક્ત રીતે વિરોધ કરતાં હાલમાં સંઘ શક્તિનો વિજય થયો છે




Latest News