ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના માનસર અને દેરાળા વચ્ચે દવા પીવડાવી દેવાતા યુવાન સારવારમાં ખસેડાયો


SHARE







મોરબીના માનસર અને દેરાળા વચ્ચે દવા પીવડાવી દેવાતા યુવાન સારવારમાં ખસેડાયો

મોરબી જિલ્લાના માળીયા મિંયાણા તાલુકાના દેરાળા ગામના રહેવાસી કોળી યુવાનને માનસર અને દેરાળા વચ્ચે ગોળાઇ નજીક રસ્તામાં મોડી રાત્રીના અગિયાર વાગ્યાના અરસામાં કોઇના દ્રારા ઝેરી દવા પીવડાવી દેવામાં આવી હોય તેને સારવાર મોરબી ખસેડાયો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન અને માળીયા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ માળીયા મિંયાણા તાલુકાના દેરાળા ગામે આવેલ ઢવાણીયાદાદા નગરમાં રહેતો સુરેશ પ્રભુભાઈ ધોળકિયા નામનો ૨૭ વર્ષીય કોળી યુવાન ગત રાત્રીના સાડા અગિયારેક વાગ્યાના અરસામાં માનસર અને દેરાળા ગામની ગોળાઈ પાસેથી જતો હતો ત્યાં કોઈ અજાણ્યા ઈસમ દ્વારા તેને ઝેરી દવા પીવડાવી દેવામાં આવતા સુરેશ કોળીને પ્રથમ અહીં મોરબીની શુભ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરાયો હોવાનું જાણવા મળેલ છે.બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી. જોકે બનાવ માળીયા પોલીસ મથકની હદમાં બન્યો હોય હાલ માળીયા પોલીસ મથકે જાણ કરવામાં આવતાં માળીયા મીંયાણા પોલીસ મથકના વસંતભાઇ વઘેરાએ બનાવ સંદર્ભે આગળની તપાસ હાથ ધરી છે.જોકે કયા કારણોસર ઉપરોકત બનાવ બન્યો તે હાલ તપાસનો વિષય છે.

પરપ્રાંતીય યુવાનનું મોત

મોરબીના માળીયા હાઈવે ઉપર હરીપર ગામ પાસે આવેલ દેવ સોલ્ટ નામના યુનિટમાં મજૂરીકામ કરતાં રાજકુમાર બિહારીલાલ કૌલ નામના ૨૮ વર્ષીય મૂળ ચચાઇ સેહડોલ મધ્યપ્રદેશના વતની એવા મજુર યુવાનને ગઈકાલે બપોરના બે વાગ્યાના અરસામાં હાર્ટ એટેકનો હુમલો આવવાથી બેભાન હાલતમાં માળીયા પીએચસી ખાતે લઇ જવાયો હતો જ્યાં ફરજ ઉપરના તબીબે જોઈ તપાસીને રાજકુમાર કૌલને મૃત જાહેર કરી પોલીસને બનાવ અંગે જાણ કરી હતી જેથી હાલ માળીયા પોલીસ મથકના હનુભા ગઢવીએ હાલમાં બનાવ અંગે આગળની તપાસ શરૂ કરી છે.






Latest News