મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીના ધાંધીયા, કમિશનરને કરાઇ રજૂઆત


SHARE







મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીના ધાંધીયા, કમિશનરને કરાઇ રજૂઆત

મોરબી મહાપાલિકામાં આવતા મહેન્દ્રનગર ગામે છેલ્લા 15 દિવસ જેટલા સમયથી લોકોને પીવાના પાણીનું વિતરણ બંધ છે જેથી કરીને સ્થાનિક લોકો હેરાન છે અને લોકોમાં મહાપાલિકાની કામગીરી સામે ભારે રોષની લાગણી છે. દરમ્યાન કોંગ્રેસના સ્થાનિક નેતા દ્વારા મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરીને પાણીની સપ્લાઈ નિયમિત કરવા માટેની માંગ કરવામાં આવેલ છે.

હાલમાં મહેન્દ્રનગર ગામે રહેતા કોંગ્રેસના સ્થાનિક નેતા મુકેશભાઈ ગામીએ મહાપાલિકાના કમિશનરને રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, ઉનાળામાં લોકોને પાણીની વધુ જરૂર રહેતી હોય છે પરંતુ મહેન્દ્રનગર ગામે છેલ્લા લગભગ 15 દિવસથી પાણી પુરવઠો બંધ રહેતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને પીવાના તેમજ ઘર વપરાશ માટે લોકોને વેચાતું પાણી લઈને તેનો ઉપયોગ કરવો પડે છે. જેથી લોકોને આર્થિક નુકશાન થાય છે તેમજ મહિલાઓ, વૃદ્ધો સહિતના લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. અને લોકોમાં મહાપાલિકાની કામગીરી સામે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જેથી મહેન્દ્રનગરમાં પાણી બંધ રહેવાનું કારણ શોધીને તાત્કાલિક ધોરણે લોકોને પાણી મળે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News