મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી કાર અને ઘર પાસેથી બાઈકની ચોરીન ગુનામાં પોલીસે ચોરાઉ મુદામાલ સાથે આરોપીને દબોચ્યો મોરબીમાં નવયુગ ગ્રૂપે નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓનું હર્ષ અને ઉમંગથી કર્યું સ્વાગત મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીના ધાંધીયા, કમિશનરને કરાઇ રજૂઆત ટંકારાના મેઘપર ઝાલા ગામે જમીન માપણીના વિવાદમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેના ભત્રીજાની હત્યા મોરબીના વાવડી રોડે રહેતા વૃદ્ધાને મરવા મજબુર કરવાના કેસમાં ૩ મહિલા સામે કાર્યવાહી, ૩ ને શોધવા કવાયત મોરબી જિલ્લામાં લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાનનો સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી શુભારંભ કરાયો હળવદ તાલુકાની ૩ ગ્રામ પંચાયતોમાં વિલેજ કોમ્પ્યુટર આંતરપ્રિન્યોરની ભરતી કરાશે મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની વિવિધ કમિટીઓની સમીક્ષા બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીના ધાંધીયા, કમિશનરને કરાઇ રજૂઆત


SHARE











મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીના ધાંધીયા, કમિશનરને કરાઇ રજૂઆત

મોરબી મહાપાલિકામાં આવતા મહેન્દ્રનગર ગામે છેલ્લા 15 દિવસ જેટલા સમયથી લોકોને પીવાના પાણીનું વિતરણ બંધ છે જેથી કરીને સ્થાનિક લોકો હેરાન છે અને લોકોમાં મહાપાલિકાની કામગીરી સામે ભારે રોષની લાગણી છે. દરમ્યાન કોંગ્રેસના સ્થાનિક નેતા દ્વારા મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરીને પાણીની સપ્લાઈ નિયમિત કરવા માટેની માંગ કરવામાં આવેલ છે.

હાલમાં મહેન્દ્રનગર ગામે રહેતા કોંગ્રેસના સ્થાનિક નેતા મુકેશભાઈ ગામીએ મહાપાલિકાના કમિશનરને રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, ઉનાળામાં લોકોને પાણીની વધુ જરૂર રહેતી હોય છે પરંતુ મહેન્દ્રનગર ગામે છેલ્લા લગભગ 15 દિવસથી પાણી પુરવઠો બંધ રહેતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને પીવાના તેમજ ઘર વપરાશ માટે લોકોને વેચાતું પાણી લઈને તેનો ઉપયોગ કરવો પડે છે. જેથી લોકોને આર્થિક નુકશાન થાય છે તેમજ મહિલાઓ, વૃદ્ધો સહિતના લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. અને લોકોમાં મહાપાલિકાની કામગીરી સામે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જેથી મહેન્દ્રનગરમાં પાણી બંધ રહેવાનું કારણ શોધીને તાત્કાલિક ધોરણે લોકોને પાણી મળે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News