ટંકારાના મેઘપર ઝાલા ગામે જમીન માપણીના વિવાદમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેના ભત્રીજાની હત્યા
મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીના ધાંધીયા, કમિશનરને કરાઇ રજૂઆત
SHARE
મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીના ધાંધીયા, કમિશનરને કરાઇ રજૂઆત
મોરબી મહાપાલિકામાં આવતા મહેન્દ્રનગર ગામે છેલ્લા 15 દિવસ જેટલા સમયથી લોકોને પીવાના પાણીનું વિતરણ બંધ છે જેથી કરીને સ્થાનિક લોકો હેરાન છે અને લોકોમાં મહાપાલિકાની કામગીરી સામે ભારે રોષની લાગણી છે. દરમ્યાન કોંગ્રેસના સ્થાનિક નેતા દ્વારા મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરીને પાણીની સપ્લાઈ નિયમિત કરવા માટેની માંગ કરવામાં આવેલ છે.
હાલમાં મહેન્દ્રનગર ગામે રહેતા કોંગ્રેસના સ્થાનિક નેતા મુકેશભાઈ ગામીએ મહાપાલિકાના કમિશનરને રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, ઉનાળામાં લોકોને પાણીની વધુ જરૂર રહેતી હોય છે પરંતુ મહેન્દ્રનગર ગામે છેલ્લા લગભગ 15 દિવસથી પાણી પુરવઠો બંધ રહેતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને પીવાના તેમજ ઘર વપરાશ માટે લોકોને વેચાતું પાણી લઈને તેનો ઉપયોગ કરવો પડે છે. જેથી લોકોને આર્થિક નુકશાન થાય છે તેમજ મહિલાઓ, વૃદ્ધો સહિતના લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. અને લોકોમાં મહાપાલિકાની કામગીરી સામે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જેથી મહેન્દ્રનગરમાં પાણી બંધ રહેવાનું કારણ શોધીને તાત્કાલિક ધોરણે લોકોને પાણી મળે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે.