મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત


SHARE







મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત

મોરબીના બંધુનગર ગામ પાસે ચક્કર આવતા યુવાન નાલામાં પડી ગયો હતો જેથી કરીને યુવાનનું મોત નીપજયું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ પાસે અકસ્માત બનાવ બન્યો હતો જેમાં ચક્કર આવતા નાલામાં પડી જવાથી મેરૂભાઈ માનસિંગભાઈ સાદલીયા (૩૮) રહે.ખારાઘોડા તાલુકો પાટડી જિલ્લો સુરેન્દ્રનગરનું મોત નીપજયું હતું.જેથી તેના ડેડબોડીને અત્રેની સિવિલએ લાવવામાં આવ્યું હતું.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના બળદેવભાઈ દેત્રોજા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.

અકસ્માતમાં ઇજા

મોરબીના જૂના નાગડાવાસ ગામે રહેતા વિશાલભાઈ ગગુભાઈ બરારીયા નામના ૩૦ વર્ષના યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તે બાઈક લઈને નીકળ્યો હતો ત્યારે ગામ નજીક અજાણ્યા કાર ચાલકે તેને હડફેટ લેતા ઇજા પામેલ વિશાલભાઈ  બરારીયાને સારવાર માટે લઈ જવાયો હતો.

અકસ્માતમાં ઇજા

મોરબી કુબેરનગર પાસે રોડ ઉપર અકસ્માત બનાવ બન્યો હતો જે બનાવમાં રાહુલ જગદીશભાઈ ચાવડા (૨૬) રહે. રણછોડનગર મોરબીને ઇજા થયેલ હોય સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. તેમ એ ડિવિઝન પોલીસે જણાવેલ છે.






Latest News