મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા


SHARE







ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા

મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં ખાનગી કંપનીના વીજપોલ મામલે આંદોલન અને વિરોધ ચાલી રહ્યો છે તેવામા ન માત્ર જેતપર કે મોરબી જિલ્લો પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતોને વધુમાં વધુ વળતર મળે તેના માટેના પ્રયાસ ચાલી રહ્યા છે તેવું નિવેદન રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ અપાયું છે અને નજીકના દિવસોમાં ખેડૂતોનો વીજ પોલ અને વીજ વાયરના વળતર માટેનો પ્રશ્ન ઉકેલાઈ જશે અને ખેડૂતોને વધુમાં વધુ વળતર પણ મળશે તેવી ખાતરી આપી છે.

મોરબી જિલ્લામાં હાલમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના વતન એટલે કે જેતપુર ગામે ખેડૂતો દ્વારા ખાનગી કંપનીના વીજ પોલના વળતર અને વીજ વાયરના વળતર બાબતે આંદોલન ચલાવી રહ્યા છે અને આમરણાંત ઉપવાસ આંદોલન ચાલુ છે તેમાં ખુદ મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નાનાભાઈ રાકેશભાઈ અમૃતિયા પણ આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે ફૂલ મળીને ત્રણ મહિલા સહિત નવ વ્યક્તિઓ હાલ આમરણાંત ઉપવાસ આંદોલન કરી રહ્યા છે અને આ આંદોલન દિવસેને દિવસે વેગ પકડી રહ્યું છે તેવામાં આજે રાજ્યના મંત્રી તેમજ મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને મૂળ જેતપરના રહેવાસી કાંતિભાઈ અમૃતિયાએ એક મોટું નિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું હતું કે ન માત્ર જેતપુર કે મોરબી પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતો ને ફાયદો થાય અને વધુમાં વધુ વળતર તે લોકોને મળે તેના માટેના પ્રયાસો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે અને આ બાબતે તેઓએ રાજ્યના મુખ્યમંત્રી અને ન્યાય મુખ્યમંત્રી ને રજૂઆત પણ કરેલી છે આટલું જ નહીં પરંતુ થોડા દિવસો પહેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા હર્ષભાઈ સંઘવી સાથે તેઓ અને જીતુભાઈ વાઘાણી સહિતના મંત્રીઓએ વીજ પોલ અને વીજ વાયરના ખેડૂતોના વળતર મામલે મીટીંગ પણ કરી હતી અને તેમાં ખેડૂતોને વધુમાં વધુ વળતર મળે તેના માટેની ચર્ચા કરવામાં આવી હતી. અને અંતમાં કાંતિભાઇ અમૃતિયાએ કહ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી તેમજ સરકાર હંમેશા ખેડૂતોની સાથે છે અને ખેડૂતોના હિતમાં જ નિર્ણય લેવામાં આવશે તેવી ખાતરી આપી હતી.






Latest News