મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

ખેડૂતોના ખેતરમાં વીજપોલ ઊભા થવાથી આપઘાત કરવા પડે તેવો ઘાટ: હળવદ માર્કેટ યાર્ડને વેપારીઓ-ખેડૂતોનો બાઇક-કાર રેલી સાથે અનોખો વિરોધ


SHARE









ખેડૂતોના ખેતરમાં વીજપોલ ઊભા થવાથી આપઘાત કરવા પડે તેવો ઘાટ: હળવદ માર્કેટ યાર્ડને વેપારીઓ-ખેડૂતોનો બાઇક-કાર રેલી સાથે અનોખો વિરોધ

મોરબી જિલ્લાના હળવદ માર્કેટ યાર્ડથી લઈને જેતપર ગામે આવેલ આંદોલનકારીઓની ઉપવાસી છાવણી સુધી હળવદના વેપારીઓ અને ખેડૂતોની બાઈક અને કારેલી યોજાઇ હતી અને તેમાં અંદાજે 1200 થી 1500 જેટલા લોકો જોડાયા હતા અને આ રેલી નીકળી હતી ત્યારે હળવદથી લઈને જેતપર ગામ સુધીનો માર્ગ “જય જવાન, જય કિસાન”ના નારાથી ગુંજી ઉઠ્યો હતો

મોરબી જિલ્લાના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને ગામો ગામથી ખેડૂતો સહિતના લોકોનું સમર્થન મળી રહ્યું છે અને રોજ મોટી સંખ્યામાં મહિલાઓ, ખેડૂતો, વિવિધ સમાજ અને સંગઠનના લોકો ઉપવાસી છાવણી ખાતે આવતા હોય છે અને ત્યાં ખેડૂતો દ્વારા પોતાના હક માટે જે લડાઈ કરવામાં આવી રહી છે તેને સમર્થન આપતા હોય છે આજે હળવદ માર્કેટ યાર્ડના વેપારીઓ દ્વારા સ્વયંભુ રીતે સવારથી જ માર્કેટ યાર્ડ બંધ રાખવામાં આવ્યું હતું અને સાંજે 5:00 વાગ્યે હળવદ માર્કેટ યાર્ડ ખાતેથી બાઈક અને કાર સાથે હળવદ માર્કેટ યાર્ડના વેપારીઓ અને ખેડૂતો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલીને જેતપર ગામે આવેલ ઉપવાસીઓની છાવણી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી અને આ રેલી જ્યારે હળવદ માળિયા હાઇવે રોડ ઉપરથી પસાર થઈ હતી અને રેલી જેતપર ગામ સુધી પહોંચી ત્યારે મુખ્ય માર્ગ “જય જવાન જય કિસાન”ના નારાથી ગુંજી ઉઠ્યો હતો આટલું જ નહીં પરંતુ ખેડૂતોના ખેતરની અંદર અત્યારે જે રીતે દાદાગીરી કરીને ખાનગી વીજ કંપનીના વીજપોલ ઊભા કરવામાં આવી રહ્યા છે તે વીજપોલની એક પ્રતિકૃતિ પણ બનાવવામાં આવી હતી અને ખેડૂતોના ખેતરની અંદર વીજપોલ ઉભો થવાના કારણે કેટલાક ખેડૂતોને આપઘાત કરવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેમ છે તેના માટેનો અનોખો વિરોધ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો. અને ખેડૂતો હાલમાં તેના હક્ક માટે જે લડત ચલાવી રહ્યા છે તેમાં અંત સુધી સાથે રહેવા માટેની હળવદ માર્કેટ યાર્ડના વેપારીઓ અને ખેડૂતો વતી હળવદ વેપારી મહામંડળના પ્રમુખ વિનોદભાઈ દલસાણીયાજેતપર ગામના ઉપવાસીઓ અને ખેડૂતોને ખાતરી આપી હતી






Latest News